August 7, 2026
ગુજરાતરાજકારણ

અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડની 12 બેઠકો પર ભાજપના 11 અને કોંગ્રેસના 1 મળી કુલ 12 સભ્યોને બિનહરિફ ઘોષિત કરવામાં આવશે

અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડની 12 બેઠકો માટે ચૂંટણી યોજાશે જે પૈકી એક બેઠક એસસી-એસટી માટે રિઝર્વ છે જ્યારે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતાં નાગરિકો માટે ત્રણ બેઠકો રિઝર્વ કરવામાં આવે છે જ્યારે આઠ બેઠકો સામાન્ય હોય છે. મેયર કિરીટ પરમારે જણાવ્યું હતુ કે, અનુસુચિત જાતિ અને જનજાતિની એક બેઠક ઉપર એક જ ફોર્મ આવ્યું હતુ. મેટ્રીક્યુલેશન કે ઉચ્ચ શૈક્ષણિક લાયકાતની ત્રણ બેઠકો માટે ત્રણ ફોર્મ આવ્યા હતા.

 

જ્યારે સામાન્ય કેટેગરીની 8 બેઠકો માટે નવ ફોર્મ આવ્યા હતા જેની સામે 9 ફોર્મ આવ્યા હતા પણ આ પૈકી  AIMIMના કોર્પોરેટરે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે જેથી હવે ભાજપના 11 અને કોંગ્રેસના 1 મળી કુલ 12 સભ્યોને બિનહરિફ ઘોષિત કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિ.ના શાસક પક્ષ ભાજપ દ્વારા સ્કૂલ બોર્ડના ચેરમેન તરીકે વિપુલ સેવક અને વાઇસ ચેરમેન તરીકે સુજય મેહતાના નામ મૂકાયાં છે.

અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડના બિનહરિફ સભ્યોના નામ

સભ્યનું નામ                 પક્ષ           શૈક્ષણિક લાયકાત

વિપુલ સેવક            ભાજપ           એમ.કોમ. બીએડ
ડો. સુજોય મહેતા     ભાજપ           બીએચએમએસ
નવીન પટેલ             ભાજપ           બીએ બીએડ
ઘનશ્યામ પટેલ         ભાજપ           બીએસસી બીએડ
મુકેશ પરમાર            ભાજપ           ટીવાયબીએ
અભય વ્યાસ           ભાજપ            એચએસસી
જીગર શાહ             ભાજપ            ટીવાયબીએસસી
અમૃત રાવલ           ભાજપ             બીએ બીએડ
યોગીની પ્રજાપતિ.     ભાજપ.          ટીવાયબીએ
લીલાધર ખડકે         ભાજપ            ટીવાયબીએ
સુરેશ કોરાણી          ભાજપ.           એચએસસી
કિરણકુમાર ઓઝા      કોંગ્રેસ.            12 પાસ

New up 01

Related posts

સરકાર, પ્રશાસન અને જનતા તમામ કોવિડની પ્રથમ લહેર બાદ લાપરવાહ થઈ ગયા હતા: મોહન ભાગવત

Ahmedabad Samay

અમદાવાદમાં રાષ્ટ્રીય લોકઅદાલતમાં  5.77 લાખ કેસનો નિકાલ થયો છે, માર્ગ અકસ્માત અને બેંકના કેસોનો પણ નિકાલ કરવામાં આવ્યા

Ahmedabad Samay

રથયાત્રા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસીંહ જાડેજા મંદિરની મુલાકાત લઈ તમામ તૈયારીઓની સમીક્ષા કરશે

Ahmedabad Samay

હાર્દિક હુંડિયા એ અબોલ જીવોના ઉદ્ધાર માટે શ્રી રામ નાં લાઈવ  ચિત્ર દ્વારા અવતરણ શ્રી રામ કા સમારોહનું આયોજન કરીયુ

Ahmedabad Samay

પેહલા કોલેજ ખુલશે ત્યારબાદ શાળા ખુલશે: ભુપેન્દ્રસિંહ ચુડાસમા

Ahmedabad Samay

ગુજરાતમાં પણ કોક્રોચ જનતા પાર્ટીની એન્‍ટ્રી, યુવા નેતા મનીષ બ્રહ્મભટ્ટને નેતૃત્‍વ સોંપવામાં આવ્‍યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો