March 23, 2026
દુનિયાદેશ

હવે મોતિયાના દરેક દર્દીને સર્જરી કરાવવાની જરૂર નહીં પડે

હવે મોતિયાના દરેક દર્દીને સર્જરી કરાવવાની જરૂર નહીં પડે. વૈજ્ઞાનિકોએ છરીની જેમ દેખાતું એવું ઈમ્પ્લાન્ટ તૈયાર કર્યું છે જે મોતિયાને વધવા નહીં દે. ઈમ્પ્લાન્ટને તૈયાર કરનાર અમેરિકાની ફાર્મા કંપની નેકયુટી ફાર્માસ્યુટિકલ્સનું કહેવું છે કે, તેના દ્વારા દ્યણા હદ સુધી સર્જરીને રોકવામાં સફળતા મળી શકે છે.

આ રીતે કામ કરે છે નવું ઈમ્પ્લાન્ટ.

અમેરિકી ફાર્મા કંપની નેફ્યુટી ફાર્માસ્યુટિકલ્સનું કહેવું છે કે, આ ઈમ્પ્લાન્ટનું નામ NPI-002 છે. સામાન્ય રીતે આંખોમાં કેલ્શિયમનું સ્તર વધવા પર મોતિયો આવે છે. આ નવું ઈમ્પ્લાન્ટ આ કેલ્શિયમને

વધવાથી રોકે છે. દુનિયાભરના વૃદ્ઘોમાં વધી રહેલી મોતિયાની બીમારીને રોકવા માટે નવા ઈમ્પ્લાન્ટનું હ્યુમન ટ્રાયલ જલ્દી જ શરૂ કરવામાં આવશે. કંપનીનો દાવો છે કે હ્યુમન ટ્રાયલ સફળ રહેશે તો આ ઈમ્પ્લાન્ટ એક મોટો ફેરફાર લાવી શકે છે. હ્યુમન ટ્રાયલમાં ૬૫ વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના ૩૦ લોકો શામેલ કરવામાં આવશે.

કંપનીનો દાવો છે કે દર્દીઓની આંખમાં આ ઈમ્પ્લાન્ટને સીધો ઈન્જેકટ કરવામાં આવશે. આ ઈમ્પ્લાન્ટ આંખોમાં ધીરે ધીરે એન્ટીઓકસીડેન્ટ્સ પહોંચાડતુ રહે છે. તેની મદદથી મોતિયાની અસર ઘટી જાય છે અને સર્જરીની જરૂર નથી પડતી

Related posts

પેટ્રોલના ભાવ વધારામા થઇ બ્રેક ફેલ, ૦૮ દિવસમાં ૭ વખત થયો ભાવ વધારો

Ahmedabad Samay

જમ્મુ એરપોર્ટ પર ડ્રોનથી હુમલ્લો કરાયો, પહેલી વાર કરાયું ડ્રોનથી હુમલો

Ahmedabad Samay

“અવકાશયાન પૃથ્વીના પ્રભાવના ક્ષેત્રમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયું

Ahmedabad Samay

સમગ્ર દેશના મોસમમાં મોટો ફેરફાર થવાના સંકેતો,ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની આગાહી

Ahmedabad Samay

લખનઉ :બક્ષી કા તળાવ વિસ્‍તારમાં એક નિર્જન જંગલમાં ચાર યુવકોએ અપહરણ બાદ ૧૪ વર્ષની છોકરી પર દુષ્‍કર્મ આચર્યું હતું

Ahmedabad Samay

શ્રી પંકજ મિશ્રા બન્યા અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો