અનલોકમાં મળેલી છૂટનો લોકો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું છોડી દીધું છે. તંત્રએ કલસ્ટર્સ અને કન્ટેનમેન્ટ વિસ્તારમાં સતત દેખરેખ રાખવી જોઈએ. આખા શહેરમાં લોકડાઉન કરવાથી કોઈ ફાયદો નહીં થાય. સરકારે કન્ટેનમેન્ટ વિસ્તારોની ઓળખ કરીને ત્યાં લોકડાઉનનું કડકથી પાલન કરાવવું જોઇએ.
દેશમાં ફરીથી વધી રહેલા કોરોના વાયરસના કેસને પગલે મોટાભાગના રાજયો ફરીથી લોકડાઉન લગાવી રહ્યા છે. જોકે, વિવિધ રાજય તરફથી લગાવવામાં આવેલા લોકડાઉન પર દિલ્હીની AIIMSના ડિરેકટર ડોકટર રણદીપ ગુલેરિયા એ પોતાની અસહમતી દર્શાવી છે. ડોકટર ગુલેરિયાનું માનવું છે કે થોડા સમય માટે લગાવવામાં આવેલું લોકડાઉનથી કોરોનાનું સંક્રમણ ઓછું કરવામાં કોઈ મદદ નહીં મળે. જો કોરોનાની ચેન તોડવી છે તો રાજયોએ ઓછામાં ઓછા ૧૪ દિવસ માટે લોકડાઉન લગાવવું પડશે
આગળની પોસ્ટ
