February 5, 2026
ગુજરાત

અમદાવાદમાંથી નશામુક્ત ભારત અભિયાનનો શુભારંભ કેબિનેટ મંત્રી ભાનુબહેન બાબરીયાએ કરાવ્યો

અમદાવાદમાંથી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તેમજ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય દ્વારા ‘નશામુકત ભારત અભિયાન’નો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબહેન બાબરિયા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. મંત્રીએ તેમના ઉદ્બોદનમાં જણાવ્યું હતું કે,  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા નશામુક્તિના મહાયજ્ઞમાં ‘નશામુક્ત ભારત અભિયાન’ મહત્ત્વની ભૂમિકા ભજવશે.” આ સાથે મંત્રીએ ઉમેર્યું હતું કે, “આજે નશાના લીધે સ્વાસ્થ્ય, પરિવાર અને સમાજ આ ત્રણેયને ખૂબ જ મોટાં નુકસાન ભોગવવા પડી રહ્યાં છે.
આજે ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોએ યુવાન દીકરા-દીકરીઓને ગેરમાર્ગે દોર્યા છે. ઉત્તમ, સ્વસ્થ અને વિકસિત ભારતના નિર્માણ માટે આપણે આજના સમયમાં આવા અભિયાનની ખૂબજ જરૂર છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મંત્રીએ પોતાની વાતને પૂર્ણ કરતા જણાવ્યું હતું કે, “પહેલાના જમાનામાં ભારત દેશને સોનાની ચીડિયા તરીકે ઓળખવામાં આવતો હતો પરંતુ નશાકારક દ્રવ્યોના વધતા જતા પ્રમાણને કારણે ભારતે તેનો પરમ વૈભવ ગુમાવ્યો છે. ‘વ્યસનમુકત ભારત અભિયાન’ અંતર્ગત અમદાવાદ સહિત આજુબાજુના જિલ્લાઓમાં કુલ ૩૩ જેટલા કળશ વ્યસનરૂપી રાક્ષસને નાથવા નીકળશે અને સાથે પ્રજાપિતા બ્રમ્હાકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના સહકાર થકી આપણે ખૂબ જલ્દી ભારતના પરમ વૈભવને ફરી મેળવી શકીશું.”

આ કાર્યક્રમમાં નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડાયરેક્ટર ડૉ. શૈલેશ મિશ્રા, મેડિકલ વિંગના નેશનલ કૉ-ઓર્ડીનેટર ડૉ. સચિન પરખ, અમદાવાદ નશામુક્તિ મંડળના ડાયરેક્ટર ગણપતભાઈ ડાભી, ઠક્કરબાપાનગરના ધારાસભ્ય કંચનબેન રાદડિયા મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી માતા-બહેનો અને કાર્યકરો જોડાયાં હતાં.

Related posts

૧૨ વાગ્યા બાદ સંપૂર્ણ લોકડાઉન ની જાહેરાત થી અફરાતફરી નો માહોલ.

Ahmedabad Samay

AIMIM મોડાસા નગરપાલિકામાં હવે વિપક્ષની ભૂમિકા નીભાવશે,મોડાસા નગરપાલિકામાં AIMIMની એન્ટ્રી

Ahmedabad Samay

આ કારણે નરોડા બેઠક પર છેલ્લી ઘડીએ નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી

Ahmedabad Samay

ક્રાંતિકારી સંત મુનિરાજ શ્રી નિલેશ વિજયજી મહારાજને રાષ્ટ્રીય સંતની પદવી મળવા બદલ જૈન અજૈન તમામ ધર્મપ્રેમીઓએ અભિનંદન પાઠવ્યા

Ahmedabad Samay

“આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023” ના વિષય અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.સી.સી. કેડેટ્સ દ્વારા ‘Eat Right Movement’ રેલીનું આયોજન

Ahmedabad Samay

અમદાવાદમાં ફરીથી લોકડાઉન લદવાની વાતએ અફવા છે : તંત્રની સ્પષ્ટા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો