June 24, 2026
તાજા સમાચારદેશ

નવા વર્ષમાં બની મોટી દુર્ઘટના, વૈષ્ણવદેવીમાં ભાગ દોડ થતા ૧૨ લોકોના મોત

કટરા સ્થિત માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં ૧૨ લોકોના મોત થયા છે, લોકો ઘાયલ છે. આ ઘટના સવારે ૨.૪૫ વાગ્યે બની હતી. પ્રારંભિક માહિતી અનુસાર, કેટલાક લોકો વચ્ચે ઝઘડો થયો અને પછી મારામારી શરૂ થઈ જે ભાગદોડમાં ફેરવાઈ ગઈ.

આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું- માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં લોકોના મોતથી હું ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના. આ દ્યટના બાદ લેફૂટનન્ટ ગવર્નર મનોજ સિંહા સાથે વાત કરી. પીએમ મોદીએ કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલી નાસભાગમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારોને ભ્પ્ફ્ય્જ્ તરફ્થી દરેકને ૨ લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે. તે જ સમયે, ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ અકસ્માત પર ટ્વીટ કર્યું હતું. તેણે લખ્યું- માતા વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગની દુર્દ્યટના દુઃખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. દ્યાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના.
બીજી તરફ્ કટરા સ્થિત માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલી નાસભાગમાં મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને જમ્મુ અને કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ રૂપિયા ૧૦ લાખની સહાય અને ગંભીર રીતે દ્યાયલ થયેલા લોકો માટે રૂ ૨ લાખની સહાય  જાહેર કરી છે.
આ ઘટનામાં દિલ્હી, હરિયાણા, પંજાબના રહેવાસીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા એક વ્યક્તિ પણ જમ્મુ-કાશ્મીરનો છે. તો આ તરફ્ રિયાસી ખાતેના કંટ્રોલ રૂમે જણાવ્યું હતું કે કટરામાં માતા વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગમાં લોકો દ્યાયલ થયેલા લોકોનું હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે.

વૈષ્ણો દેવી મંદિર સંકુલમાં ભાગદોડ થતાં ૧ર લોકોના મોત થયા છેઃ મૃતકોમાંથી ૭ની ઓળખ થઇ છેઃ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ૭૦ થી ૮૦ હજાર શ્રધ્ધાળુ ઉંમટી પડયા હતાઃ દરમ્યાન ઘટનાની તપાસના આદેશો અપાયાઃ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ પહોંચ્યા

New up 01

Related posts

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં ખેડૂતો અને ઉત્પાદકોનું રાખ્યું ધ્યાન

Ahmedabad Samay

રાજસ્થાનમાં શ્રદ્ધા વોલકર જેવો ક્રૂરતા ભર્યો કિસ્સો આવ્યો સામે, લાશના કર્યા ૧૦ ટુકડા

Ahmedabad Samay

શૂટર દાદી ચંદ્રો તોમરનું કોરોનાને કારણે થયું નિધન

Ahmedabad Samay

જૂનના પહેલા સપ્તાહ થી લોકડાઉનમાં રાહત મળશે

Ahmedabad Samay

રામ મંદિર માટે એકત્રિત કરાયેલા દાન માંથી ૧૫ હજાર જેટલા ચેક બાઉન્સ થયા

Ahmedabad Samay

એન્ટાર્કટિકાના થ્વાઈટ્સ ગ્લેશિયર થી એક મોટો હિસ્સો તૂટીને પડી શકે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો