June 22, 2026
તાજા સમાચાર

સુદાન પોર્ટ પર દુર્ઘટનાનો શિકાર બન્યું વિમાન, 4 સૈનિકો સહિત 9 લોકોના મોત

રવિવારે સુદાન બંદર પર એક ભયાનક વિમાન દુર્ઘટના જોવા મળી હતી. અહીં એક સિવિલિયન પ્લેન ક્રેશ થવાને કારણે 4 સૈનિકો સહિત 9 લોકોના મોત થયા છે. સુદાનની સેનાએ આ સંબંધમાં એક નિવેદન જારી કરીને કહ્યું છે કે આ દુર્ઘટનામાં એક બાળકીનો જીવ બચી ગયો છે. સુદાનની સૈન્યએ જાણ કરી હતી કે એન્ટોનોવ વિમાન ક્રેશ થતા પહેલા ટેક ઓફ કરી રહ્યું હતું. આ દરમિયાન પ્લેનમાં કોઈ ખામી સર્જાઈ હતી જેના કારણે પ્લેન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. તમને જણાવી દઈએ કે સુદાનમાં 15 એપ્રિલ 2023થી સશસ્ત્ર દળો અને અર્ધલશ્કરી સહાયક દળો વચ્ચે લડાઈ ચાલી રહી છે.

સુદાનમાં પ્લેન ક્રેશ

લડાઈ વચ્ચે, પોર્ટ સુદાન વિદેશીઓ, રાજદ્વારી મિશનના સભ્યો અને ઉત્તર આફ્રિકન દેશમાંથી ભાગી રહેલા કેટલાક સુદાનના નાગરિકો માટે એક્ઝિટ પોઇન્ટ બની ગયું છે. જણાવી દઈએ કે સુદાનમાં ચાલી રહેલી હિંસામાં 1136 લોકો માર્યા ગયા છે. સુદાનમાં ગૃહયુદ્ધ રવિવારે તેના 100મા દિવસે પ્રવેશ્યું. આ સંદર્ભમાં માહિતી આપતા સુદાનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, સુદાનમાં હિંસામાં અત્યાર સુધીમાં 1136 લોકો માર્યા ગયા છે. જો કે, અન્ય મોનિટર માને છે કે મૃત્યુઆંક ઘણો વધારે છે. આ મૃત્યુની જાણ કોઈ કરી રહ્યું નથી. એવો પણ અંદાજ છે કે 30 લાખથી વધુ લોકો સુદાન છોડીને ભાગી ગયા છે.

Related posts

ચૂંટણી પરિણામ, ફરી એક વખત લોકોએ ભાજપને ‘જય શ્રીરામ’ કહી સતાનું સુકાન સોંપ્‍યું

Ahmedabad Samay

જાણો કોણ છે દ્રોપદી મુર્મુનો

Ahmedabad Samay

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની પ્રથમ યાદી ટૂંક સમયમાં જાહેર થશે

Ahmedabad Samay

નરોડા ખાતે આવેલ સ્વપ્નિલ કોમ્પલેક્ષમાં સફાઇ કરતી યુવતીની ક્રૂરતા પૂર્વક કરાઇ હત્યા

Ahmedabad Samay

જો એક્ઝિટપોલ સાચું પડશે તો ૧૯૯૮ પછી પહેલી વાર રાષ્ટ્રીય રાજધાનીમાં ભાજપ સત્તામાં પરત ફરશે

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે મુસાફરો માટે અમૃત ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો