August 7, 2026
તાજા સમાચાર

સુદાન પોર્ટ પર દુર્ઘટનાનો શિકાર બન્યું વિમાન, 4 સૈનિકો સહિત 9 લોકોના મોત

રવિવારે સુદાન બંદર પર એક ભયાનક વિમાન દુર્ઘટના જોવા મળી હતી. અહીં એક સિવિલિયન પ્લેન ક્રેશ થવાને કારણે 4 સૈનિકો સહિત 9 લોકોના મોત થયા છે. સુદાનની સેનાએ આ સંબંધમાં એક નિવેદન જારી કરીને કહ્યું છે કે આ દુર્ઘટનામાં એક બાળકીનો જીવ બચી ગયો છે. સુદાનની સૈન્યએ જાણ કરી હતી કે એન્ટોનોવ વિમાન ક્રેશ થતા પહેલા ટેક ઓફ કરી રહ્યું હતું. આ દરમિયાન પ્લેનમાં કોઈ ખામી સર્જાઈ હતી જેના કારણે પ્લેન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. તમને જણાવી દઈએ કે સુદાનમાં 15 એપ્રિલ 2023થી સશસ્ત્ર દળો અને અર્ધલશ્કરી સહાયક દળો વચ્ચે લડાઈ ચાલી રહી છે.

સુદાનમાં પ્લેન ક્રેશ

લડાઈ વચ્ચે, પોર્ટ સુદાન વિદેશીઓ, રાજદ્વારી મિશનના સભ્યો અને ઉત્તર આફ્રિકન દેશમાંથી ભાગી રહેલા કેટલાક સુદાનના નાગરિકો માટે એક્ઝિટ પોઇન્ટ બની ગયું છે. જણાવી દઈએ કે સુદાનમાં ચાલી રહેલી હિંસામાં 1136 લોકો માર્યા ગયા છે. સુદાનમાં ગૃહયુદ્ધ રવિવારે તેના 100મા દિવસે પ્રવેશ્યું. આ સંદર્ભમાં માહિતી આપતા સુદાનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, સુદાનમાં હિંસામાં અત્યાર સુધીમાં 1136 લોકો માર્યા ગયા છે. જો કે, અન્ય મોનિટર માને છે કે મૃત્યુઆંક ઘણો વધારે છે. આ મૃત્યુની જાણ કોઈ કરી રહ્યું નથી. એવો પણ અંદાજ છે કે 30 લાખથી વધુ લોકો સુદાન છોડીને ભાગી ગયા છે.

Related posts

અમદાવાદ શહેર અને જિલ્લામાંથી એકમાત્ર નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના પ્રધાન તરીકે સ્થાન આપવામાં આવ્યું

Ahmedabad Samay

ઈસરોએ હવામાનશાસ્ત્રીય ઉપગ્રહ INSAT-3DS લોન્ચ કર્યો

Ahmedabad Samay

સરકારની નવી યોજના! તમામ ટીવી ચેનલો મોબાઈલ પર ચાલી શકશે, જાણો વિગતો

Ahmedabad Samay

શું ઇન્ડિયા એલાયસ્ન પણ સરકાર બનાવવાની શક્યતા છે

Ahmedabad Samay

ચંદ્રની વધુ નજીક આવશે ચંદ્રયાન-3, આજે થશે વિક્રમ લેન્ડરનું ડી-ઓર્બિટિંગ; 4 દિવસ પછી ઈસરો રચશે ઈતિહાસ

Ahmedabad Samay

સર્જરી બાદ CM ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ આવ્યા ભાનમાં, મુંબઈ હિન્દુજા હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો