લોકડાઉન દરમિયાન દિવસ રાત એક કરી બે વખતનું લોકો સુધી ભોજન પહોંચાડયુ બેઘર થયેલા લોકોને લોકડાઉન દરમિયાન સહારો આપી જન કલ્યાણ નું કામ કર્યું હતું એવા જન જાગૃતિ ફાઉંડેશન ના સેવાભાવિ અધ્યક્ષ શ્રી શિવ પ્રતાપ સિંહ ભદૌરીયા, દિનેશ ભાઈ સોલઁકી,બાબુ ભાઈ પરમાર શિવચરણ સિંહ ભદોરીયા,ધીર સિંહ સોલઁકી તથાં તેમની ટીમ દ્વારા ગાંધીનગર તથા અમદાવાદ ખાતે 1500થી વધુ વિધવા બહેનોને સાડી નું વિતરણ કરેલ અને આજે 26/1/2022 ના રોજ 200 જેટલી ગરીબ વિધાવા બહેનો ને સાડી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત (1) શ્રી મતિ રાજપૂત મિનૂ બેન રાધવેન્દ્ર સિહ(મ્યુ.કાઉન્સિલર ઓઢવ વોર્ડ )(2)શ્રી માન ભૂત.પૂર્વ આચાર્ય શ્રી કાન્તન્મ ભાઈ શર્મા (શ્રૃતિ વિધાલય) (3) શ્રી માન ભાવિક ભાઈ પટેલ મ્યુ.કાઉ.શ્રી ઈન્ડીયા કોલોની વોર્ડ હાજર રહેલા અને તેમના શુભ હાથો થી ગરીબ વિધવા બહેનો ને સાડી વિતરણ કરવામાં આવેલ.
જન જાગૃતિ ફાઉન્ડેન ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી તરફ થી તમામ મહેમાનો તથા પધારેલ બિધવા નો આભાર વ્યક્ત કરેલ હતો તથા પ્રેશ મિડિયા નો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
