June 24, 2026
ગુજરાતઅપરાધ

અમદાવાદના અસારવા વિસ્તારમાં સાધુના વેશમાં છુપાયેલા હવસ ખોરનો પર્દાફાશ

ગુજરાતમાં ગુનાખોરીનો ગ્રાફ ઉંચે ચઢતું જતો હોય તેમ હત્યા અને દુષ્કર્મની ફરિયાદોમાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે. વધુ એક આસારામ આવ્યો સામે, અમદાવાદમાં અસારવા વિસ્તારમાં એક મહંતે સગીરાને પોતાની હવસનો ભોગ બનાવી હોવાની ફરિયાદે વધુ ચકચાર મચાવી છે.

અમદાવાના અસારવા વિસ્તારમાં આવેલ મંદિરના મહંતે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. મહંત દ્વારા જે પીડિતા ઉપર બળાત્કાર ગુજારાયો હતો તે સગીર હોવાનુ સામે આવ્યું છે. અમદાવાદના અસારવામાં આવેલા કબીર મંદિરના મહંતે સગીરાને લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો. જેમાં ભત્રીજા સાથે સગીરાના લગ્ન કરાવી આપવાની લાલચ આપી તેને આ દુષ્કર્મ આચર્યુ હતુ. આ વાતની તેના પરિવાર જનો અને સ્થાનિક લોકોને જાણ થતાં સંતના વેશમાં બેઠેલા શૈતાન ને રોષેભરાઈ મેથીપાક ચખાડ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ આ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સંતને તેના કૃત્ય માટે સૌ લોકોએ મળીને માર માર્યો હતો.

આથી સગીરાની ફરિયાદ આધારે શાહીબાગ પોલીસ મથકે મહંત વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

આવતીકાલથી અમદાવાદના ચંડોળામાં ડિમોલિશન પાર્ટ-2 શરૂ

Ahmedabad Samay

મીની લોકડાઉનને લઇ આજે બેઠક થશે, આંશિક છૂટ મળી શકે તેવી શકયતા

Ahmedabad Samay

અમદાવાદમાં સ્ટ્રીટ વેન્ડર્સને આત્મનિર્ભર સ્વનિધિ યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધીરણપત્રો એનાયત કરાયા

Ahmedabad Samay

અમદાવાદ – ટ્રાફિક ઝૂંબેશ અંતર્ગત દિવસમાં અંદાજે 2 લાખ દંડ વસૂલાય છે, 15 દિવસમાં 9500થી વધુ કેસો

Ahmedabad Samay

એક બાજુ શહેરમાં રખડતાં ઢોરોનો ત્રાસ: તો બીજી બાજુ ઢોર પકડ પાર્ટી અને માલધારીઓ વચ્ચે થઈ મોટાપાયે માથાકૂટ

Ahmedabad Samay

હિન્દૂ સેના દ્વારા હનુમાન જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે, સમસ્ત સ્નાતનીઓને યાત્રામાં જોડાવા આમંત્રણ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો