March 24, 2026
ગુજરાતઅપરાધ

અમદાવાદના અસારવા વિસ્તારમાં સાધુના વેશમાં છુપાયેલા હવસ ખોરનો પર્દાફાશ

ગુજરાતમાં ગુનાખોરીનો ગ્રાફ ઉંચે ચઢતું જતો હોય તેમ હત્યા અને દુષ્કર્મની ફરિયાદોમાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે. વધુ એક આસારામ આવ્યો સામે, અમદાવાદમાં અસારવા વિસ્તારમાં એક મહંતે સગીરાને પોતાની હવસનો ભોગ બનાવી હોવાની ફરિયાદે વધુ ચકચાર મચાવી છે.

અમદાવાના અસારવા વિસ્તારમાં આવેલ મંદિરના મહંતે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. મહંત દ્વારા જે પીડિતા ઉપર બળાત્કાર ગુજારાયો હતો તે સગીર હોવાનુ સામે આવ્યું છે. અમદાવાદના અસારવામાં આવેલા કબીર મંદિરના મહંતે સગીરાને લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો. જેમાં ભત્રીજા સાથે સગીરાના લગ્ન કરાવી આપવાની લાલચ આપી તેને આ દુષ્કર્મ આચર્યુ હતુ. આ વાતની તેના પરિવાર જનો અને સ્થાનિક લોકોને જાણ થતાં સંતના વેશમાં બેઠેલા શૈતાન ને રોષેભરાઈ મેથીપાક ચખાડ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ આ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સંતને તેના કૃત્ય માટે સૌ લોકોએ મળીને માર માર્યો હતો.

આથી સગીરાની ફરિયાદ આધારે શાહીબાગ પોલીસ મથકે મહંત વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

રાજપૂત સમાજ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને પેન અને શુભેચ્છા પત્ર આપવામાં આવ્યા

Ahmedabad Samay

અમદાવાદ- રખડતા ઢોર મામલે AMCએ 10 મહિનામાં 27 લાખ 77 હજાર દંડ વસુલ્યો, કોર્ટ રજૂ કર્યા આ જવાબો

Ahmedabad Samay

અમદાવાદ એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં ઈમારતોની ઊંચાઈ અંગે કડક વલણ, ૧૩ જેટલી ઇમારતો તોડાસે

Ahmedabad Samay

બેન્ક ઓફ બરોડામાં હવે ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મ દ્વારા ૩૦ મિનિટમાં હોમ લોન, કાર લોન

Ahmedabad Samay

ગુમ થયેલ છે: કુણાલ અશોક નાયક

Ahmedabad Samay

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો