June 22, 2026
દેશ

ઋષભ પંતના અકસ્માત વેળાએ મદદે આવેલા બસ ચાલકને ઉત્તરાખંડ પોલીસ દ્વારા સન્માનિત કરાશે

ભારતીય ક્રિકેટર ઋષભ પંત ને ગંભીર અકસ્માત નડ્યો હતો જોકે ચિંતા એ વાતની હતી કે, પંતને પહોંચેલી ઈજા કેટલી ગંભીર હતી એ વાતના સવાલના જવાબની રાહ જોવાઈ રહી હતી. જોકે પંતના ચાહકોને માટે રાહતરુપ સમાચાર મળ્યા હતા કે, પંતની ઈંજા જીવ અને કરિયરને લઈ ચિંતાજનક સ્થિતીમાં નથી. જોકે તેને ઘટના વેળા એક બસ ચાલકે તત્કાળ મહત્વની મદદ પૂરી પાડી હતી અને પ્રાથમિક સારવાર અપાવી હતી. હવે તેને ઉત્તરાખંડ પોલીસ સન્માનિત કરશે.

 

ઉત્તરાખંડ પોલીસ દ્વારા એ બસ ચાલકનુ સન્માન કરવામા આવશે કે, અકસ્માતની ઘટના જોઈ તુરત જ મદદની ભાવનાથી દોડી આવ્યો હતો. હરિયાણા રોડવેઝની બસનો એ ચાલક ફરજ પર હોવા છતાં પણ તેણે બસને સાઈડમાં ઉભી રાખીને મદદ માટે પહેલ કરી હતી. સળગતી કાર સાથેના આ ગંભીર દૃશ્યની સ્થિતીમાં તેણે સૂઝબૂઝ સાથે પંતના બચાવ માટેની કાર્યવાહી તત્કાળ હાથ ઘરી હતી અને પ્રાથમિક સારવાર માટે પણ ત્વરીતના ધોરણે કાર્ય કર્યુ હતુ.

બસ ચાલકની મદદની ભાવનાએ સૌને પ્રેરણા પૂરી પાડી છે. તેણે અકસ્માત જોઈને તુરત શક્ય તમામ મદદની ભાવનાથી પંતને પ્રાથમિક સારવાર અપવવા સહિતનુ કાર્ય કર્યુ હતુ. આ બસ ચાલકની આ પહેલ સાથે જ સ્થાનિક યુવાનો પણ તેની સાથે જોડાયા હતા અને મદદ માટે લાગ્યા હતા. હવે ઉત્તરાખંડ પોલીસ દ્વારા આ બસ ચાલકને સન્માનિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બસ ચાલકને પુરસ્કાર પણ આપવામાં આવશે. આ અંગે ઉત્તરાખંડના ડીજીપીએ ઘોષણા કરી છે.

પંતને તુરત જ બસ ચાલકે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવ્યો હતો. તેની ભાવના પ્રેરણાદાયી હતી અને જેને લઈ તેને ઈનામ આપવાની ઘોષણા કરવામાં આવી છે. પોલીસે મીડિયા રિલીઝમાં જણાવ્યુ છે કે, ભારતીય ક્રિકેટર ઋષભ પંત આજે સવારે દિલ્હી-દેહરાદૂન હાઇવે પર એક માર્ગ અકસ્માતમાં ઘાયલ થયો હતો. હરિયાણા રોડવેઝના ડ્રાઇવર અને ઓપરેટર અને અન્ય સ્થાનિક લોકો માર્ગ પરિવહન મંત્રાલયની ‘ગુડ સમરિટન સ્કીમ’ હેઠળ તેની મદદ માટે આગળ આવ્યા હતા અને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મત્રાલય, ભારત સરકારની ‘ગુડ સેમેરિટન’ હેઠળ સન્માનિત અને પુરસ્કૃત કરવામાં આવશે.

Related posts

દેશના૧૩ રાજ્ય પૂરતું જ રહેશે લોકડાઉન ૫.૦

Ahmedabad Samay

અયોધ્યા એરપોર્ટ હવે ‘મર્યાદા પુરૂષોતમ શ્રીરામ’ એરપોર્ટ તરીકે ઓળખાશે

Ahmedabad Samay

અશોક ગેહલોતે ચિરંજીવી હેલ્થ ઈન્સોરન્સ સ્કીમની જાહેરાત કરી

Ahmedabad Samay

દેશની રાજધાનીમાં કોરોના સંક્રમણના વધતા કેસ વચ્‍ચે વીકેન્‍ડ કર્ફયુ લગાવાનો નિર્ણય લીધો.

Ahmedabad Samay

ભારતીય પુરાતત્‍વ અનુસાર મુગલ શાસક ઔરંગઝેબે સંકુલમાં મસ્‍જિદ માટે એક હિન્‍દુ મંદિર તોડી પાડ્‍યું

Ahmedabad Samay

એરટેલ દ્વારા પ્રિપેઇડ પ્લાન્સ ૨૫ ટકા જેટલા મોંઘા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો