આજે રાજકોટમાં રમાયેલી છેલ્લી ટી20 મેચમાં ભારતીય ટીમે રોમાંચક જીત મેળવીને સીરીઝ જીતી છે. રાજકોટમાં રમાયેલી છેલ્લી અને અંતિમ ટી20 મેચમાં ભારતીય ટીમે 91 રનથી જીત મેળવી છે.
સુર્યકુમારની તોફાની ઇનિંગથી ભારતે રાજકોટમાં છેલ્લી ટી-20 મેચ સાથે શ્રેણી જીતી છે, ભારતને 229 રનનો શ્રીલંકા સામે ટાર્ગેટ રાખ્યો હતો જેમાં શ્રીલંકાની ટીમ 137 રનમાં ઓલઆઉટ થઇ હતી,
મેચમાં શુભમન ગિલ પોતાની પ્રથમ ઈન્ટરનેશનલ અર્ધ સદી ચૂકી ગયો હતો. તેણે સૂર્યકુમાર સાથે 50 રનની પાર્ટનરશિપ કરીને ભારતીય ટીમને મજબૂત સ્કોર ઉભો કરવામાં મદદ કરી હતી.
આજની મેચમાં ઈશાન કિશન માત્ર 1 રન બનાવી આઉટ થયો હતો. શુભમિન ગિલ 46 રન, રાહુલ ત્રિપાઠી 35 રન, કેપ્ટન પંડયા 4 રન, દીપક હુડ્ડા 4 રન બનાવી આઉટ થયા હતા. જ્યારે અક્ષર પટેલ 21 રન અને સૂર્ય કુમાર યાદવે 112 રન બનાવીને શ્રીલંકા સામે 229 રનનો મજબૂત ટાર્ગેટ મૂક્યો હતો
