ભૂપેન્દ્ર પટેલ સરકારના મોટા કદના બજેટમાં વિભાગીય જોગવાઈમાં સૌથી વધુ બજેટ અત્યા સુઘીમાં શિક્ષણ માટે ફાળવવામાં આવ્યું છે. નાણાં મંત્રી કનુ દેસાઈએ શિક્ષણ વિભાગ માટે 43,651 કરોડની જોગવાઈ કરી છે. આ વખતે શિક્ષણ પર મોટા સવાલો વિપક્ષ તરફથી ચૂંટણી દરમિયાન કરવામાં આવ્યા હતા. પ્રથમ વખત શિક્ષણ ક્ષેત્રે કામગિરી માટે વખણાતી આપ પાર્ટી આ મુદ્દાને વિધાનસભાની ચૂંટણીમાં સરકાર પર પ્રહાર કરવા માટે ખેંચી લાવતા લોક ચર્ચા પણ થઈ હતી. જેમાં ટ્વિટર વૉરથી લઈને આપ નેતાની સ્કૂલોમાં વિઝિટ સહીતના મુદ્દાઓએ દેશભરમાં સૌ કોઈનું ધ્યાન દોર્યું હતું ત્યારે આ વખતે રાજ્ય સરકારે શિક્ષણના સ્તરને માળખાકીય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સુધારવા માટે મોટી રકમની ફાળવણી કરી છે.
શાળાઓના માળખાકીય સુવિધા માટે 3109 કરોડ
– શિક્ષણ વિભાગ માટે 43,651 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– શાળાઓના માળખાકીય સુવિધા માટે 3109 કરોડની જોગવાઈ
– રાજ્યની 400 જ્ઞાનસેતુ શાળાઓ માટે 64 કરોડની જોગવાઈઓ
– સૈનિક શાળાઓ શરૂ કરવા માટે 5 કરોડની જોગવાઈ
– સરકારી શાળાઓની માળખાકીય સુવિધાઓની જાળવણી માટે 109 કરોડની જોગવાઈ
– પ્રાથમિક શાળાઓને સહાયક શિક્ષકો આપવા અંગે 87 કરોડની જોગવાઈ. .
શિષ્યવૃત્તિ આપવા માટે 390 કરોડની જોગવાઈ
– ઉચ્ચ શિક્ષણમાં શોધ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવા માટે 390 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણમાં સંશોધન, કૌશલ્ય વિકાસ, તાલીમ, ડિજિટલ લર્નિંગ માટે 401 કરોડ રૂપિયાની જોગવાઈઓ કરવામાં આવી છે. ઉચ્ચ અને તકનીકી શૈક્ષણિક સંસ્થાઓના નિર્માણ અને જાળવણી માટે રૂ. 169 કરોડ, સ્ટાર્ટઅપ વિદ્યાર્થીઓ માટે રૂ. 70 કરોડ ફાળવવામાં આવ્યા છે.
