May 8, 2026
ગુજરાતઅપરાધતાજા સમાચાર

અમદાવાદમાં પઠાણ ફિલ્‍મનો વિરોધ કરાયો,વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળે તોડફોડ કરી

વસ્ત્રાપુર લેક પાસે અમદાવાદ વનમોલના સીનેમાઘરમાં પઠાણ ફિલ્‍મનો વિરોધ કરાયો હતો. જેમાં વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળે તોડફોડ કરી હતી. જેના કારણે ત્‍યાં હાજર લોકો ગભરાઈને અફડાતફડીનો માહોલ જોવા મળ્‍યો હતો. ફિલ્‍મના પોસ્‍ટર સિનેપોલીસ સીનેમાઘરમાં દેખાતા કાર્યકરોએ ઉગ્ર દેખાવ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પઠાણ ફિલ્‍મમાં કિંગ ખાન અને દીપિકા પાદુકોણ સ્‍ટારર ફિલ્‍મ સોંગ ‘બેશરમ રંગ’ રિલીઝ થયું હતું. આ સોંગ રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર ઘણું ટ્રોલ થયું હતું અને ફિલ્‍મને બોયકોટ કરવાનો ટ્રેન્‍ડ શરૂ થયો હતો.

અમદાવાદના વસ્ત્રાપુર લેક પાસે આવેલા અમદાવાદ વન મોલમાં વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ પઠાણ ફિલ્‍મનો વિરોધ કર્યો હતો. અગાઉ પણ શાહરૂખ ખાનની ફિલ્‍મ પઠાણ ગુજરાતમાં રિલીઝ નહિ કરવા ચીમકી ઉચ્‍ચારી હતી તેમ છતાં મોલમાં પોસ્‍ટરો લાગતા નુકસાન પહોંચાડ્‍યું. એટલું જ નહીં VHP એ આ ફિલ્‍મ રિલીઝ થશે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ તેવી ચીમકી ઉચ્‍ચારી છે. આ સમયે મોલમાં આવનારા ગ્રાહકો પણ માહોલ થી ગભરાઈ ગયા હતા.

વિરોધ થતા જ પોલીસ ઘટના સ્‍થળે પોહચી મામલો શાંત પાડ્‍યો હતો પરંતુ તોડ ફોડ અંગે હાલ પોલીસ વીડિયોના આધારે તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ VHP અને બજરંગ દળ દ્વારા જુદા જુદા કાર્યક્રમો આપી પઠાણ ફિલ્‍મનો વિરોધ કર્યો હતો.આ બનાવ બાદ  રાજ્‍યમાં વિરોધનો સુર ઉઠ્‍યો હોવાનું દેખાઈ રહ્યું છે જેને પગલે આગામી સમયમાં અન્‍ય જિલ્લા કે શહેરોમાં પણ કાર્યકરો વિરોધ કરે તેવી શકયતા છે.આ સમગ્ર મામલે હાલ વીડિયોના આધારે પોલીસ તપાસ કરી રહી છે. હવે પઠાણ ફિલ્‍મનો વિરોધ અમદાવાદથી શરૂ થયો છે અને અન્‍ય જગ્‍યા પણ વિરોધ થાય તેવી શકયતા છે. બનેલી આ ઘટના અંગે વીડિયો સામે આવતા હવે પોલીસ અધિકારી દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવશે.

Related posts

પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કાર્યક્રમ યોજી વિચારોનું આદાન-પ્રદાન કર્યું

Ahmedabad Samay

આખરે ભારતે પાકિસ્તાન પર વળતો પ્રહાર કર્યો છે. ભારતીય સશસ્ત્ર દળોએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનની અંદર ૯ સ્થળો પર મોટો હુમલો

Ahmedabad Samay

મંત્રી શ્રી પ્રદીપ પરમારે વિદ્યાર્થીઓ અને અનુસૂચિત જાતિના લોકો માટે વિવિધ લાભો મોટા લાભદાયક ફેરફાર કર્યા.

Ahmedabad Samay

જનતા દ્વારા જન સેવકનો જન્મ દિવસ મનાવવામાં આવ્યું

Ahmedabad Samay

રાજપૂતના મેડિકલ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થી પારિતોષિક અને વાર્ષિક સ્માહરો નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

૨૪ કલાકમાં પોણા બસો કેસ આવ્યા સામે,કોરોનાની ગાઇડલાઇનનું કડક પાલન થાય તે માટે પોલીસને વધુ સક્રિય થવા જણાવ્યું,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો