March 23, 2026
તાજા સમાચાર

ઉનાના કેસરિયા પાસે ઓવર બ્રિજ ઉપર તથા નીચે બંને સર્વિસ રોડ બિસ્માર હાલત ધૂળની ડમરીઓ કાકરી ઉડતા વારંવાર અકસ્માતની ઘટના બને છે. તાત્કાલિક રોડનું સમારકામ કરવાં લોકોની માંગ

સોમનાથ થી નિકળો અને દીવ જવું હોય તો ઉનાના કેસરિયા ચોકડી પર જવું પડે પણ અહીં કેસરિયા ચોકડીનાં બંને સર્વિસ રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. બંન્ને રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાથી વારંવાર અકસ્માતની ઘટના તેમજ વાહન સ્લીપિંગનાં બનાવો વધી રહ્યા છે. તેમજ ઓવર બ્રિજ નીચે ચોકડીથી વાહનો ચારેય દિશામાં સતત અવર જવર થતા હોય ત્યારે વધુ અક્સ્માત સર્જાતા હોય તેમજ કોઈ પ્રકારનાં બેરીકેડ કે કોઇજાતના સુચનો હાઈવે તંત્ર દ્વારા પણ મુકવામાં આવ્યા નથી. અને બ્રિજ નીચેથી વાહનો પસાર થાય ત્યારે ધૂળ, કાંકરી ઉડીને લોકોના મોઢા પર લાગે છે. તેવા ભય હેઠળ વાહન ચાલકો, રાહદારી, ખેડુતો સહીત લોકો પસાર થાય રહ્યા છે. ગામ લોકોનો આક્ષેપ કરી રહ્યા છે કે વારંવાર રસ્તા પર પડેલ ખાડામાં કોકરીટ પાથરી જતાં હોય પરંતું બે દિવસમાં એની એજ હાલત રસ્તાની થઈ જાય છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. લાંબા સમયથી બ્રિજ તો બની ગયો છે પણ જેમાં બંને બાજુ સર્વિસ રોડ ખરાબ હાલતમાં હોવા છતાં કોઈપણ કોન્ટ્રાકટર રસ્તાની હાલત જોવા ફરકયુ નથી. તેમજ હાઈવે ઓવર બ્રિજની ઉપર પર જે કામ થવું જોઈએ તે પણ અધૂરૂ છોડી દેવામાં આવેલ. નવાઈની વાત તો એ છે કે સોમનાથ -ભાવનગર નેશનલ હાઈવે પરથી અનેક અધિકારીઓ પદાધિકારીઓ પસાર થતા હોય છે ત્યારે આ કેસરિયા ચોકડીની ખરાબ હાલત નહીં દેખાતી હોય અને આ બાબતે કોઈ વાત પણ સાંભળતા નથી તેવા પ્રશ્નો લોકોમાં ઉઠવા પામેલ. નેશનલ હાઈવે પર આવેલ કેસરિયા-દીવ ચોકડી પર સર્વિસ રોડ પર બિસ્માર રસ્તાને તાત્કાલિક સમારકામ કરવામાં આવે તથા રસ્તા પર બેરીકેડ મુકવા પડે ત્યા વહેલી તકે બેરીકેડ મુકી જરૂરી સૂચનોના બોર્ડ મુકવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે ગ્રામ પંચાયત સદસ્યના પ્રતિનિધિ નરશીભાઈ શીગોડે જણાવેલ કે અહીં ઓવર બ્રિજ બન્યો ત્યારે બન્ને સાઈડોમાં સર્વિસ હોય તે બિસ્માર હાલતમાં હોવાથી ભારે મુશ્કેલી પડતી હોય આ બાબતને તંત્રને અનેકવાર રજૂઆતો કરી છે. એક વર્ષ થઈ ગયેલ હોવા છતાં બેરા કાને અથડાઈ છે જેથી તંત્ર દ્વારા જાગૃતતા દાખવી સત્વરે આ પ્રશ્નને ઉકેલવા માંગ કરી હતી.

Related posts

નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ટેસ્ટ મેચને લઈને ધમકી આપનાર આખરે મધ્યપ્રદેશથી ઝડપાયા

Ahmedabad Samay

આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોના ઉભા પાકને માવઠાની થશે નુકશાન

Ahmedabad Samay

દિવાળીએ અમદાવાદીઓએ મેટ્રોની મજા માણી, મેટ્રોની સવારી પ્રથમ પસંદગી બની

Ahmedabad Samay

૮૬ વર્ષના વયે અબજોપતિ ઉદ્યોગપતિ રતન ટાટાએ આજે અંતિમ શ્વાસ લીધા, વિશ્વભરમાં શોકની લાગણી

Ahmedabad Samay

નાગરિકતા સંશોધન (CAA)કાયદો માર્ચથી લાગુ

Ahmedabad Samay

સમાચારોના સર્વે પ્રમાણે ગુજરાતમાં ફરી કમળ ખીલશે,ગુજરાતમાં ફરી મોદી ફેક્ટરને ચાલ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો