March 25, 2026
ગુજરાત

પોરબંદર છાયા પાલિકા તંત્ર દ્વારા આખલા પકડો અભિયાન શરૂ કરવા માંગ

પોરબંદર છાયા વિસ્તારમાં આખલાઓનો આતંક વધ્યો છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા આખલા પકડવાની ઝુંબેશ અભરાઈ પર ચડાવી દીધી હોય તેમ ઝુંબેશ બંધ કરી છે. આથી પાલિકા તંત્ર દ્વારા આખલા પકડો અભિયાન શરૂ કરવા માંગ ઉઠી છે. રાજ્ય સરકારે આદેશ આપ્યા બાદ પોરબંદર છાયા પાલિકા તંત્ર દ્વારા આખલા સહિત રઝળતા પશુઓ પકડવાની કામગીરી ઝુંબેશ સ્વરૂપે ચલાવી હતી. આ કામગીરીમાં પોલીસ તંત્રને પણ સાથે રાખવામાં આવ્યા હતા. પરંતુ પ્રારંભે જ શુરા જેવો ઘાટ ઘડાયો હતો. શહેર માંથી થોડા થોડા સમયાંતરે ગણ્યા ગાંઠ્યા પશુ પકડ્યા બાદ આ આખલા પકડવાની ઝુંબેશ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી અને લાંબા સમયના વિરામ બાદ પણ આખલા પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી.

હાલ મુખ્ય માર્ગો પર આખલાઓ અડિંગો જમાવી બેઠા હોય છે જેથી વાહન ચાલકોને હાલાકી પડે છે અને વાહન સ્લીપ તથા અકસ્માતનો ભય રહે છે તો શહેરની ગલીઓમાં પણ આખલાઓનો ત્રાસ યથાવત રહ્યો છે. આખલા યુદ્ધે ચડતા નજરે ચડે છે જેથી લોકોને ગલી માંથી પસાર થવામાં પણ ભય રહે છે અને આખલા યુદ્ધને કારણે વાહનોને નુકશાન થઈ રહ્યું છે તેમજ આખલા યુદ્ધે ચડતા લોકોને ઈજા પહોંચે છે જેથી આ ગંભીરતાને ધ્યાને લઈને પાલિકા તંત્ર દ્વારા આખલા પકડવાની ઝુંબેશ ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

Related posts

કમોસમી વરસાદથી ખેડૂતો સાથે ઇંટના ભઠ્ઠાનો વેપાર કરતાં લોકો પણ પરેશાન: જસદણ નજીક ૩૫થી વધુ ભઠ્ઠામાં પાણી ભરાયુ

Ahmedabad Samay

કોરોના ધીમો પડતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાત્રી કરફ્યુ ૧૦ વાગ્યા થી કરવા સૂચન કરાયું

Ahmedabad Samay

સ્પા સેન્ટરમાં દેહવ્યાપારના ગોરખધંધા ચાલી રહ્યા છે, હવે તેમની ખેર નહિ: હર્ષ સંઘવી

Ahmedabad Samay

જયપુરના ફુલેરામાં વણઝારા સમાજ અને દુકાનદારો ની વચ્ચે ચાલી રહેલ સમસ્યાનો આવ્યો અંત

Ahmedabad Samay

આઇઆઇએમ અમદાવાદ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું વ્યાખ્યાન યોજાશે

Ahmedabad Samay

” શાંતિલાલ શાહ ” ની પુણ્યતિથિ અને આઝાદી માં જેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે એવા ચંદ્રશેખર આઝાદને ૨૭ ફેબ્રુઆરીના રોજ શ્રદ્ધાંજલિ આપી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો