March 25, 2026
ગુજરાત

પાલિકા તંત્ર દ્વારા ભાડા અને ડિપોઝિટ ઘટાડવા સરકારને દરખાસ્ત કરવામાં આવી

પેરેડાઈઝ સુપર માર્કેટની 60 દુકાનોની હરરાજી માટે ત્રણ પ્રયાસ નિષ્ફળ રહ્યા બાદ પાલિકા તંત્ર દ્વારા ભાડા અને ડિપોઝિટ ઘટાડવા સરકારને દરખાસ્ત કરવામાં આવી છે ત્યારે આ અંગે વહેલી તકે નિવેડો લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરમાં દાયકાથી પણ વધુ સમયથી પેરેડાઈઝ પાસે સુપર માર્કેટ બનાવવામાં આવી હતી. આ માર્કેટ જર્જરિત થઇ જતા ફરીથી સમારકામ કરાવી તંત્રએ જાહેર કર્યું હતુંકે, 60 જેટલી દુકાનો 9 વર્ષના ભાડા કરારથી પાઘડી લઈને આપવાની છે. એક દુકાનનું માસિક ભાડું રૂ. 10,588 થી માંડીને વધુમાં વધુ ભાડું રૂ. 27,102 રાખવામાં આવ્યું છે.

આ ભાડા પર જીએસટી અલગ રાખવામાં આવ્યો છે તેમજ ડિપોઝિટ પેટે ઓછામાં ઓછાં રૂ. 3 લાખ અને વધુમાં વધુ રૂ. 6 લાખ અપસેટ પ્રાઇઝ રાખવામાં આવી છે. પાલીકા તંત્રએ જણાવ્યું હતુંકે, આ ભાવો માર્ગ અને મકાન વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. પાલિકા તંત્ર દ્વારા આ દુકાનોની હરરાજી માટે ત્રણ પ્રયાસ કર્યા હતા પરંતુ આ પ્રયાસ સફળ રહ્યા ન હતા જેથી પાલિકા તંત્ર દ્વારા સામાન્ય સભામાં નિર્ણય લઈ દુકાનોમાં ભાડા અને ડિપોઝિટ ઘટાડવા તથા ભાડા કરાર વધારવા અંગે સરકારને દરખાસ્ત કરી છે.

પરંતુ હજુસુધી આ અંગે કોઈ નિવેડો આવ્યો નથી. હજુ વધુ સમય પસાર થશે તો આ દુકાનો પડતર બની જશે અને ફરીથી જર્જરિત બની જશે તો સમારકામ માટે ખર્ચ કરવો પડશે જેથી આ દુકાનો પડી પડી બિસ્માર બને તે પહેલા દુકાનોના ભાડા અને ડિપોઝિટ ઘટાડી વધુ કરાર મુદ્દત આપી દુકાનોની હરરાજી કરી આ અંગે નિવેડો લાવવામાં આવે તેવી સામાજિક આગેવાન જયેશભાઈ સવજાણીએ સરકારને રજૂઆત કરી છે.

Related posts

શ્રી મૂરજીભાઇ પટેલ પ્રસ્તુત કરે છે ‘છોગાળા રે નવરાત્રી ઉત્સવ’, મુંબઈમાં પહેલી વાર કચ્છની કોયલ, ‘ગીતા રબારી’ મચાવશે ગરબાની ધૂમ

Ahmedabad Samay

વિક્કી ગેંડી ફરી બન્યો બેફામ,વધુ એક વેપારીને હપ્તો ન આપવા પર જાનથી મારવાની આપી ધમકી

Ahmedabad Samay

ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં કોરોના ભારત માંથી સમાપ્ત થઇ જશે.

Ahmedabad Samay

બીઝ ટ્રીઝ નેટવર્કિંગ અને બિઝનેસ કોમ્યુનિટી દ્વારા બિઝનેસ ગ્રોથ માટેના મહાસંગ્રામ એટલે “કુરુક્ષેત્ર – ૨૩”નું ભવ્ય આયોજન કરાયું

admin

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સલ્મ વિસ્તારમાં ફ્રી U WIN કાર્ડ કઢાયું

Ahmedabad Samay

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચમાધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ નું પરીક્ષાનું પરીણામ ૮૩.૦૮ ટકા જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો