August 7, 2026
મનોરંજન

શાહરુખ ખાનને મન્નતના આ ભાગ સાથે ખાસ લગાવ છે, અહીં મોબાઈલ, ટીવી કે કોઈપણ ગેજેટ્સ રાખવાની મંજૂરી નથી….

શાહરુખ ખાનને મન્નતના આ ભાગ સાથે ખાસ લગાવ છે, અહીં મોબાઈલ, ટીવી કે કોઈપણ ગેજેટ્સ રાખવાની મંજૂરી નથી….

જો મુંબઈના આલીશાન ઘરોની વાત કરીએ તો સ્વાભાવિક છે કે અંબાણી હાઉસ એન્ટિલિયા સિવાય તેમાં શાહરૂખ ખાનની મન્નતનું નામ ચોક્કસથી સામેલ હશે. આ ઘર શાહરૂખ ખાનના દિલની સૌથી નજીક છે. હાલમાં જ પત્ની ગૌરી ખાનની બુક લોન્ચ ઈવેન્ટમાં કિંગ ખાને પોતાના ઘરની સૌથી ફેવરિટ જગ્યા વિશે જણાવ્યું હતું… જ્યાં તે મોટાભાગનો સમય પસાર કરવાનું પસંદ કરે છે.

શાહરૂખની આ ફેવરિટ જગ્યા છે
સોમવારે બુક લોન્ચ ઈવેન્ટમાં પહોંચેલા શાહરૂખ અને ગૌરી બંનેએ ઘર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો શેર કરી હતી… આ દરમિયાન શાહરૂખ ખાને જણાવ્યું કે તેને ઘરમાં સૌથી વધુ સમય ક્યાં વિતાવવો ગમે છે. તેણે મજાકમાં કહ્યું કે ગૌરી ચોક્કસપણે બાથરૂમ એવો જવાબ આપશે, પરંતુ એવું નથી બલ્કે તેને તેની લાઇબ્રેરી સૌથી વધુ ગમે છે. જ્યાં તે ઘણા સમયથી જઈ શક્યો નથી. પરંતુ તેને આ જગ્યા અને અહીં રહેવું વધુ ગમે છે. શાહરૂખના કહેવા પ્રમાણે, અહીં ન તો ફોન છે કે ન તો ટીવી, આ સિવાય અહીં કોઈ પણ પ્રકારનું ગેજેટ નથી, જેથી તમે તમારી સાથે ઘણો સમય વિતાવી શકો.

બંગલો બે દાયકા પહેલા ખરીદ્યો હતો
શાહરૂખ અને ગૌરી જ્યારે દિલ્હીથી મુંબઈ આવ્યા ત્યારે તેમની પાસે પોતાનું ઘર નહોતું. તે સમયે શાહરૂખ તેની ફિલ્મના ડાયરેક્ટરના ઘરે રહેતો હતો. તેને મન્નતને ખરીદવાનો મોકો મળ્યો. શાહરૂખ પાસે પૈસા આવતા જ તેણે આ ઘર ખરીદી લીધું. પરંતુ શાહરૂખ ખાનના કહેવા પ્રમાણે તેની પાસે ઘરને ડિઝાઇન કરવા માટે પૈસા પણ બચ્યા ન હતા, આવી સ્થિતિમાં ગૌરી ખાને આ જવાબદારી ઉપાડી, ધીમે ધીમે શાહરૂખ પૈસા કમાતા ગયા અને ગૌરી ઘર માટે જરૂરી વસ્તુઓ ભેગી કરતી રહી. આજે મન્નત મુંબઈના સૌથી આલીશાન અને મોંઘા મકાનોમાંથી એક છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર મન્નતની કિંમત 200 કરોડથી વધુ હોવાનું કહેવાય છે. તો એ જ શાહરૂખ ખાનની ગણના દેશના સૌથી ધનિક અભિનેતાઓમાં થાય છે.

Related posts

ફેબ્યુલસ લાઇફ્સ ઓફ બોલીવુડ વાઈવ્સની ત્રીજી સિઝનમાં રણબીર કૂપરની બહેન રિદ્ધિમા કપૂર સાહની મુખ્ય ભૂમિકામાં હશે

Ahmedabad Samay

અજય દેવગણ અભિનીત ફિલ્મ ‘સન ઓફ સરદાર 2’નું ગીત ‘નચડી’ થયું રિલીઝ

Ahmedabad Samay

કિસી કા ભાઈ કિસી કી જાનના ટ્રેલર લોન્ચ વખતે સલમાન ખાને શહેનાઝ ગિલના સંબંધોનો પર્દાફાશ કર્યો? કહ્યું- શહનાઝ તમે આગળ વધો…

Ahmedabad Samay

ખતરો કે ખિલાડી – ૧૧ નું ૧૭ જૂને ફાઇનલ શૂટિંગ કરાશે

Ahmedabad Samay

ફિલ્મ ‘રામાયણ’ના બે ભાગમાં રણબીર માટે રૂ.૧૫૦ કરોડની ફી નક્કી થઈ

Ahmedabad Samay

ધૂરંધર ૨ એ ભારતમાં અત્‍યાર સુધીમાં રૂા.૧૪.૬૯ કરોડની કમાણી કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો