August 8, 2026
બિઝનેસ

રાહત / ભારતીય બજારમાં રોનક પરત ફરી, વિદેશી રોકાણકારોએ બનાવી નાખ્યો આ રેકોર્ડ

ભારતીય શેરબજાર (Indian Share Market) ની સ્થિતિમાં થઈ રહેલા સુધારાની અસર વિદેશી રોકાણકારો (Foreign Investors) ના ટ્રેન્ડમાં પણ જોવા મળી રહ્યો છે. વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (Foreign Portfolio Investors) છેલ્લા 14 દિવસથી ભારતીય ઈક્વિટીમાં ચોખ્ખા ખરીદદાર બની રહ્યા છે. છેલ્લા 3 વર્ષમાં ભારતીય બજારમાં એફપીઆઈ (FPI Buying) દ્વારા આ સૌથી લાંબી સતત ખરીદી છે.

કેટલો મજબૂત થયો નિફ્ટી50

બજારના મોટા રોકાણકારોમાંના એક નિલેશ શાહ (Nilesh Shah) એ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, છેલ્લા 14 દિવસમાં એફપીઆઈ (FPIs) એ ભારતીય બજારમાં 2.74 બિલિયન ડોલર અથવા લગભગ 22,579 કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદી કરી છે. તે જ સમયે, આ 14 દિવસ દરમિયાન નિફ્ટી50 લગભગ 3 ટકા વધ્યો છે. આ 14 દિવસોમાં 10 સેશનમાં નિફ્ટી 50 તેજી સાથે બંધ થયો છે.

મ્યુચ્યુઅલ ફંડ કરી રહ્યા છે મદદ

કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ (Kotak Mahindra Asset Management) ના શાહે જણાવ્યું હતું કે, ભારતીય બજારમાં વિદેશી રોકાણકારોને આકર્ષવાનું મુખ્ય કારણ મ્યુચ્યુઅલ ફંડ છે. મ્યુચ્યુઅલ ફંડના કારણે FPIsને લાગે છે કે ભારતીય બજારમાંથી બહાર નીકળવું સરળ છે, પરંતુ એન્ટ્રી કરવી મુશ્કેલ છે.

કામ આવી રહ્યો છે આરબીઆઈનો ઉપાય

એપ્રિલમાં ભારતીય બજારમાં FPIsના વેચાણ પર બ્રેક લાગી હતી અને તેઓ ખરીદીના માર્ગ પર પાછા ફર્યા છે. તેના માટે ઘણા ફેક્ટર્સ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. રિઝર્વ બેંકે ગયા વર્ષના મે મહિનાથી વ્યાજ દરોમાં સતત વધારો (RBI Repo Rate Hike) અટકાવી દીધો છે. દેશમાં છૂટક મોંઘવારી દરમાં થયેલો ઘટાડો સૂચવે છે કે આગામી સમયમાં પણ વ્યાજ દરો સ્થિર રહેશે. તેનાથી FPIને પ્રોત્સાહન મળ્યું છે.

આ ફેક્ટર પણ કરી રહ્યા છે સપોર્ટ

આ સિવાય માર્ચ ક્વાર્ટરના રિઝલ્ટની સિઝને પણ સેન્ટિમેન્ટને સુધારવામાં મદદ કરી છે. માર્ચ ક્વાર્ટર માટે કંપનીઓના ત્રિમાસિક પરિણામો બજારની અપેક્ષાઓ સાથે સુસંગત છે અને અત્યાર સુધી કોઈ મોટો આંચકો આવ્યો નથી. યુએસ ફેડરલ રિઝર્વે પણ વ્યાજદરમાં વધારો નહીં કરવાનો સંકેત આપ્યો છે. આ તમામ કારણોને લીધે FPIs ભારતમાં ખરીદદાર બન્યા છે અને તેના કારણે એપ્રિલ મહિનામાં નિફ્ટી લગભગ 5 ટકા સુધી ઉછળી શક્યો હતો.

Related posts

લોકડાઉન ના કારણે નાના વહેપારીઓ ને આશરે ૫.૫૦ લાખ નું નુક્સાન

Ahmedabad Samay

મહિન્દ્રાએ GST ની સમયમર્યાદા 22 સપ્ટેમ્બર પહેલા જ કારની કિંમતમાં 1.56 લાખ રૂપિયા સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી,

Ahmedabad Samay

બચત ખાતા પર દરરોજ મળે છે વ્યાજ, રૂપિયા ઓછા-વધારે થવા પર કેવી રીતે થાય છે વ્યાજની ગણતરી? સમજો કેલ્ક્યુલેશનની રીત

Ahmedabad Samay

ભારતમાં આટલા લાખમાં વેચાશે એલન મસ્કની ટેસ્લા કાર, થઈ ગયું કન્ફર્મ, જાણી લો કિંમત

Ahmedabad Samay

દિલ્હીમાં ફરી ચાલશે ઉબેર-રેપિડોની બાઇક, હાઇકોર્ટે કેજરીવાલ સરકારના નિર્ણય પર લગાવી રોક!

Ahmedabad Samay

સાથીકર્મીઓને જેલમાં મોકલવાને બદલે ભારતીય કાયદાઓનું પાલન કરીશું: BBCની મોદી ડોક્યુમેન્ટરી પર બોલ્યા એલન મસ્ક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો