August 6, 2026
બિઝનેસ

આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ વિતી ગયા બાદ પણ તમારા માટે રીટર્ન ભરવાનો છે મોકો

હજુ પણ એવા ઘણા લોકો છે જેઓ તેમના આવકવેરા રિટર્ન ફાઇલ કરી શક્યા નથી. જો કે, આવા લોકો હજુ પણ આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકે છે. આ માટે લોકોએ એક પ્રક્રિયાને અનુસરવી પડશે. લોકો હવે લેટ ફી ભરીને આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકે છે. જો કે આ માટે પણ તારીખ નક્કી કરવામાં આવી છે. આ પછી તમને તક નહીં મળે.

આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ પસાર થઈ ગઈ છે. તે 31 જુલાઈ 2023 હતી. બાકી રહી ગયેલા 31 ડિસેમ્બર 2023 સુધીમાં તેમના રિટર્ન સબમિટ કરી શકશે. જો કે, આવી ફાઇલિંગ પર, પગારદાર કર્મચારીઓ કે જેમની ચોખ્ખી કરપાત્ર આવક વાર્ષિક રૂ. 5 લાખથી વધુ છે, તેમની પાસેથી રૂ. 5000 સુધીની લેટ ફી વસૂલવામાં આવશે. આ સિવાય જે લોકોની કરપાત્ર આવક રૂપિયા 5 લાખથી ઓછી છે તેઓ 1000 રૂપિયાની પેનલ્ટી સાથે ITR ફાઇલ કરી શકે છે.

આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, વર્ષ 2023-24 માટે સોમવારે સાંજે 6 વાગ્યા સુધી 6.50 કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા.  છેલ્લા દિવસે આવકવેરા રિટર્ન ઓનલાઈન ભરવામાં કરદાતાઓને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. સોમવારે, છેલ્લા દિવસે, લગભગ 37 લાખ લોકોએ સાંજે 6 વાગ્યા સુધીમાં આવકવેરા રિટર્ન સબમિટ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 31 જુલાઈ સુધી લગભગ 5.83 કરોડ ITR ફાઈલ કરવામાં આવ્યા હતા.  નાણાકીય વર્ષ 2022-23 માટે ITR સબમિટ કરવાની છેલ્લી તારીખ આજે એટલે કે 31 જુલાઈ 2023 હતી.

Related posts

મહિન્દ્રાએ GST ની સમયમર્યાદા 22 સપ્ટેમ્બર પહેલા જ કારની કિંમતમાં 1.56 લાખ રૂપિયા સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી,

Ahmedabad Samay

એશિયાની સૌથી મોટી દૂધની બ્રાન્ડ અમુલને મોંઘવારી નડી, કાલથી અમુલ દૂધના ભાવમાં થયો વધારો

Ahmedabad Samay

શેરબજાર ૨૪ કલાક ખુલ્‍લું રહેશે,હવે લોકો દિવસ અને રાત વેપાર કરી શકશે

Ahmedabad Samay

ગામની ખાલી પડેલી જમીન પર શરૂ કરો આ બિઝનેસ, ખિસ્સામાં હશે પૈસા જ પૈસા

Ahmedabad Samay

બીગ બજારને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝએ ટેક ઓવર કર્યું, રિલાયન્સ હવે ચલાવશે બીગ બજાર

Ahmedabad Samay

ITR:આવકવેરા વિભાગની નોટિસનો જવાબ નહીં આપો તો વધશે મુશ્કેલી, આવકવેરા ભરનારાઓ માટે માર્ગદર્શિકા જારી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો