May 7, 2026
બિઝનેસ

આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ વિતી ગયા બાદ પણ તમારા માટે રીટર્ન ભરવાનો છે મોકો

હજુ પણ એવા ઘણા લોકો છે જેઓ તેમના આવકવેરા રિટર્ન ફાઇલ કરી શક્યા નથી. જો કે, આવા લોકો હજુ પણ આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકે છે. આ માટે લોકોએ એક પ્રક્રિયાને અનુસરવી પડશે. લોકો હવે લેટ ફી ભરીને આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકે છે. જો કે આ માટે પણ તારીખ નક્કી કરવામાં આવી છે. આ પછી તમને તક નહીં મળે.

આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ પસાર થઈ ગઈ છે. તે 31 જુલાઈ 2023 હતી. બાકી રહી ગયેલા 31 ડિસેમ્બર 2023 સુધીમાં તેમના રિટર્ન સબમિટ કરી શકશે. જો કે, આવી ફાઇલિંગ પર, પગારદાર કર્મચારીઓ કે જેમની ચોખ્ખી કરપાત્ર આવક વાર્ષિક રૂ. 5 લાખથી વધુ છે, તેમની પાસેથી રૂ. 5000 સુધીની લેટ ફી વસૂલવામાં આવશે. આ સિવાય જે લોકોની કરપાત્ર આવક રૂપિયા 5 લાખથી ઓછી છે તેઓ 1000 રૂપિયાની પેનલ્ટી સાથે ITR ફાઇલ કરી શકે છે.

આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, વર્ષ 2023-24 માટે સોમવારે સાંજે 6 વાગ્યા સુધી 6.50 કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા.  છેલ્લા દિવસે આવકવેરા રિટર્ન ઓનલાઈન ભરવામાં કરદાતાઓને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. સોમવારે, છેલ્લા દિવસે, લગભગ 37 લાખ લોકોએ સાંજે 6 વાગ્યા સુધીમાં આવકવેરા રિટર્ન સબમિટ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 31 જુલાઈ સુધી લગભગ 5.83 કરોડ ITR ફાઈલ કરવામાં આવ્યા હતા.  નાણાકીય વર્ષ 2022-23 માટે ITR સબમિટ કરવાની છેલ્લી તારીખ આજે એટલે કે 31 જુલાઈ 2023 હતી.

Related posts

AI ટેક્નોલોજીથી નોકરી જવાનું જોખમ વધ્યું, આ 5 સેક્ટરમાં કામ કરતા લોકોને સૌથી વધુ ડરવાની જરૂર

Ahmedabad Samay

સિમેન્ટ બિઝનેસમાં અદાણી ગ્રૂપનું વર્ચસ્વ, અંબુજા સિમેન્ટે સાંઘી ઇન્ડસ્ટ્રીઝને હસ્તગત કરી

Ahmedabad Samay

ખુશખબર / અમદાવાદ સહિત સમગ્ર દેશમાં સીએનજી અને પીએનજીની કિંમતમાં મોટો ઘટાડો, જાણો હવે શું છે ભાવ

admin

નવી ટેક્સ વ્યવસ્થા હોય કે જૂની, આવક આટલી હોય તો ટેક્સ સમાન, સમજી લો ગણતરી

Ahmedabad Samay

Investment Tips / અમીર લોકોની હોય છે આ આદતો, ત્યારે જ બનાવી શકે છે મોટા પ્રમાણમાં રૂપિયા

Ahmedabad Samay

ફટકો / હવે Myntra પરથી શોપિંગ કરવી થઈ મોંઘી, દરેક ઓર્ડર પર ચૂકવવી પડશે ફી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો