March 21, 2025
રાજકારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 28 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન

સેમીકન્ડક્ટર ક્ષેત્રને વેગ આપવાના ઉદ્દેશથી, ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા ગાંધીનગરમાં ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું આયોજન
કરવામાં આવ્યું છે. 28 જુલાઈ, 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરના હાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમ 30 જુલાઈ સુધી ચાલશે.

આ કાર્યક્રમની શરૂઆત થાય તે પહેલા, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા વિશેષ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જેને 25 જુલાઈથી જનતા માટે ખુલ્લું
મૂકવામાં આવશે. આ એક્ઝિબિશનમાં સેમીકન્ડક્ટરની ઉત્પાદન પ્રક્રિયા અને આ ક્ષેત્રમાં થયેલી પ્રગતિ શે લોકોને માહિતગાર કરવામાં આવશે. આ એક્ઝિબિશન પણ 30 જુલાઇ સુધી કાર્યરત રહેશે.

એક્ઝિબિશનની મુલાકાતે આવનારા લોકોને સેમીકન્ડક્ટર ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતી ત્યાધુનિક તકનીકો અને નવીનીકરણ અંગે વિસ્તૃત જાણકારી મળશે. એન્જીનિયરીંગ, ડીપ્લોમાં
અને અન્ય વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ માટે એક્ઝિબિશનમાં સેમીકન્ડક્ટર ઉત્પાદન વિષે જાણવા મળશે, તથા આ ક્ષેત્રે કારકિર્દી ઉપયોગી વિશેષ જાણકારી મેળવવાની ઉત્તમ તક મળશે.

કાર્યક્રમમાં ભારત સરકાર તરફથી, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, રેલવેઅને કમ્યુનિકેશન મંત્રી અશ્વિની વૈષ્ણવ ; વિદેશ મંત્રી  સુબ્રમણ્યમ જયશંકર તેમજ
ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી તથા સ્કિલ ડેવલપમેન્ટ અને એન્ટરપ્રેન્યોરશીપ મંત્રી  રાજીવ ચંદ્રશેખર ઉપસ્થિત રહેશે. ઉપરાંત, અગ્રણી સેમીકન્ડક્ટર
ઇન્ડસ્ટ્રીઝના વડાઓ પણ આ કાર્યક્રમમાં સામેલ થશે.

Related posts

પીએમ નરેન્દ્ર મોદી ચાઇના દ્વારા ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરી અને કબજાના કૃત્‍યોની સાર્વજનિક રીતે નિંદા કેમ નથી કરતા ? : કપિલ સિબ્બલ

Ahmedabad Samay

લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવવા મામલે ઔવેસી અને ગિરિરાજસિંહ આમને સામને

Ahmedabad Samay

અંતે ભાજપને આવ્યું પદ ગ્રહણ કે જાહેર અભિવાદન કાર્યક્રમ ન યોજવા સૂચના

Ahmedabad Samay

ઓસ્ટ્રેલિયાના PM એન્થની અલ્બેનીઝે કર્યા PM નરેન્દ્ર મોદીના ભરી-ભરીને વખાણ, કરી દીધો આવડો મોટો ખુલાસો

Ahmedabad Samay

પદ્મ પુરસ્કાર વિજેતાઓને સરકાર આપશે 10,000 રૂપિયા પેન્શન, મનોહર લાલ ખટ્ટરે કરી જાહેરાત

Ahmedabad Samay

PM મોદીનો વિપક્ષ પર પ્રહાર, કહ્યું- INDIA નામ રાખવાથી કંઈ થતું નથી, એ તો ઈન્ડિયન મુજાહિદ્દીનના નામમાં પણ છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો