June 24, 2026
રમતગમત

અમદાવાદમાં ભારત પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની તારીખો બદલવા સુરક્ષા એજન્સીએ કર્યું સૂચન

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમની અંદર ભારત પાકિસ્તાનની વર્લ્ડ કપની પ્રથમ મેચ યોજાઈ રહી છે એજ તારીખે નવરાત્રિનો પ્રથમ દિવસ છે જેને જોતા સુરક્ષા એજન્સીઓએ તારીખો બદલવા માટે સૂચન કર્યું છે.

ભારતીય ટીમે આ વર્ષના અંતમાં યોજાનાર ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો સામનો કરશે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ બંને ટીમો 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સામસામે ટીમો ટકરાશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત-પાકિસ્તાન મેચની તારીખ બદલાઈ શકે છે.જે દિવસે બંને ટીમો વચ્ચે આ શાનદાર મેચ થવા જઈ રહી છે તે નવરાત્રિનો પહેલો દિવસ છે. ગુજરાતમાં આખી રાત ગરબા નૃત્ય સાથે ઉજવવામાં આવે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એજન્સીઓએ સુરક્ષાની ચિંતાઓને કારણે BCCIને મેચને કોઈ અન્ય તારીખે શિફ્ટ કરવાની સલાહ આપી છે.

બીસીસીઆઈ સુરક્ષા એજન્સીઓની સલાહ પર પણ વિચાર કરી રહી છે અને ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. એજન્સીઓએ બોર્ડને કહ્યું છે કે આવા પ્રસંગોએ ભારત વિરુદ્ધ પાકિસ્તાન જેવી હાઈ-પ્રોફાઈલ ગેમ્સ ટાળવી જોઈએ. આ મેચ માટે હજારો ચાહકો અમદાવાદ પહોંચવાના છે. જો મેચના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવે તો ચાહકોને ભારે મુશ્કેલી પડી શકે છે. તે મેચ માટે અમદાવાદની લગભગ તમામ હોટલો બુક થઈ ગઈ છે.

જો સમયપત્રકમાં ફેરફાર થશે તો મોટા પાયે હોટેલ બુકિંગ કેન્સલ થવાની સંભાવના છે. રસપ્રદ વાત એ છે કે ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચ પણ અહીં 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાવાની છે. ટુર્નામેન્ટને બે મહિનાથી વધુ સમય બાકી છે, પરંતુ ટિકિટના વેચાણ અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી. જેના કારણે ચાહકોની નિરાશા વધી છે. એવું માનવામાં આવે છે કે BCCI ભારત-પાકિસ્તાન મેચ પર અંતિમ નિર્ણય લીધા બાદ ટિકિટનું વેચાણ શરૂ કરશે.

અહેવાલો અનુસાર, BCCI આ માટે એક તત્કાલિક બેઠક પણ બોલાવી છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપમાં ચાર ગ્રુપ મેચો યોજાવાની છે જેમાં પ્રથમ મેચ તેમજ 19 નવેમ્બરે ટૂર્નામેન્ટની ફાઈનલ પણ યોજાશે.

Related posts

દુબઇમાં એશિયન યુ-ર૦ એથ્‍લેટિકસ ચેમ્‍પિયનશીપમાં ભારતીય ખેલાડીઓનું દમદાર પ્રદર્શન રહ્યું

Ahmedabad Samay

IPL 2023: મુંબઈને હરાવીને કેપ્ટન હાર્દિકનું મોટું નિવેદન, ફાઈનલ પહેલા ચેન્નાઈને આપી ચેતવણી

Ahmedabad Samay

ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે ભારતને હરાવીને બન્યું વર્લ્ડ ચેમ્પિયન

Ahmedabad Samay

વિરાટ કોહલીએ અમદાવાદમાં ઉતરતાની સાથે જ બનાવ્યો રેકોર્ડ, સૌરવ ગાંગુલીની બરાબરી, સચિન તેંડુલકર નંબર વન

Ahmedabad Samay

બુહમરાએ મોટો રેકોર્ડ તોડીને ક્રિકેટ જગતમાં ઇતિહાસ રચ્યો,બુમરાહે વિરોધી ટીમને ધ્વસ્ત કરીને પોતાની ટેસ્ટ કારકિર્દીમાં ૧૬મી પાંચ વિકેટ લીધી

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ખેલ મહાકુંભ ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો