June 22, 2026
ગુજરાત

અમદાવાદમાં એક જ સપ્તાહમાં નોંધાયા 12 હજાર આંખ આવવાના કેસ નોંધાયા

અમદાવાદની અંદર આંખ આવવાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. એક જ સપ્તાહમાં 12 હજાર કેસો નોંધાયા છે.

ચોમાસાની આ ઋતુમાં આ કેસોમાં ધરખમ વધારો થયો છે. યુએચસી, સીએચસી અને એએમસીની હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. ત્યારે જો આ સિવાય  અન્ય સરકારી સિવાય પ્રાઈવેટ કેસોની વાત કરવામાં આવે તો અંદાજે 30 હજાર જેટલા કેસો અંદાજિત આંખ આવવાના નોંધાયા છે.
ત્યારે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ તરફથી મળતી વિગતો અનુસાર ક્લિનિકલી કન્જેક્ટિવાઈટીના દરરોજ 20 જેટલા કેસો જોવા મળી રહ્યા છે. જરુરી દવાઓનો જથ્થો મળી રહે તે પ્રકારની સહાતા કોર્પોરેશનની હોસ્પિટલો અને હેલ્થ સેન્ટરમાં આપવામાં આવી રહી છે.

આંખ આવવાના કિસ્સાઓમાં સાવચેતીપૂર્વક સ્વચ્છતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાજ્યના આરોગ્ય વિભાગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જિલ્લા અને તાલુકા આરોગ્ય કેન્દ્રોમાં તેને લગતી દવાઓ ઉપલબ્ધ કરાવી છે. જો કે, મિડિકલમાં તેનું વેચાણ આ કિસ્સાઓમાં વધ્યું છે.ડોક્ટરની સલાહ વગર મેડિકલ સ્ટોરમાંથી આઇ ડ્રોપ્સ ડાયરેક્ટ ન લેવા જોઈએ.

આ બાબતની કાળજી રાખો
હાથ અને મોંને સ્વચ્છ રાખવા માટે હાથ અને મોંને સાબુથી ધોઈ લો. જાહેર સ્થળોએ ખાસ કરીને હોટલ, હોસ્ટેલ, મેળા, થિયેટરો, એસટી સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, મોલ વગેરે જેવા ભીડવાળા સ્થળોએ સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.આંખોમાં લાલાશ, દુખાવો હોય તો સારવાર માટે નજીકના આંખના સર્જનને બતાઓ

Related posts

અમદાવાદ: બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ પહોંચ્યા, એરપોર્ટ-અમરાઈવાડીમાં ભવ્ય સ્વાગત, વટવામાં કથામાં હાજરી આપશે

admin

અમદાવાદ શહેરમાં દિવાળીના પર્વ બાદ સ્માર્ટ પાર્કિંગની સુવિધા શરૂ કરવામાં આવશે

Ahmedabad Samay

સુરપંચમ સ્ટુડિયો, અમદાવાદ ખાતે “કરાઓકે સુપરસ્ટાર સીઝન ૧” ફાયનલ સ્પર્ધા યોજાઇ

Ahmedabad Samay

GSRTC એ રેલવે અને વિમાન જેવી “ફૂડ ઓન વહીલ” સેવા ચાલુ કરી

Ahmedabad Samay

કાલે છે મહાશિવરાત્રી, મહાશિવરાત્રીએ આ સમયે પૂજા કરશો તો થઇ જશો ધન્ય. શિવજીની કૃપા વરસા થશે.

Ahmedabad Samay

સ્વ. લાલબહાદુર શાસ્ત્રીજીની આજે પપ મી પૂણ્યતિથિ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો