January 25, 2025
તાજા સમાચાર

વડોદરા – ગણેશ ચતૂર્થી નિમિત્તે વડોદરા પોલીસનું જાહેરનામું, ઉંચી પ્રતિમા પર મુકાયો પ્રતિબંધ

ગણેશ ચતૂર્થીની તૈયારીઓ અત્યારથી જ થઈ રહી છે ત્યારે આ મામલે વડોદરા પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં 9 ફૂટથી ઉંચી ગણેશ પ્રતિમા બનાવવા, વેચવા કે સ્થાપન કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે અન્ય કેટલીક બાબતોનો ઉલ્લેખ પણ જાહેરનામામાં કરવામાં આવ્યો છે.

ગણેશ પ્રતિમાની ઉંચાઈને લઈને વિવાદ થઈ શકે છે. મૂર્તિકારો અને આયોજકો આ જાહેરનામાનો વિરોધ કરે તેવી પણ શક્યતા છે. જો કે, જાહેરનામાનો ઉલ્લઘન કરે તો ફોજદારીનો કેસ પણ નોંધાઈ શકે છે તેમ ઉલ્લેખ કરાયો છે. ભક્તો માટે માટીની મૂર્તિના સ્થાપનમાં 9 ફૂટ સુધીની લિમિટ રાખવામાં આવી છે. જેથી 9 ફૂટ સુધીની મૂર્તિનું સ્થાપન કરી શકાશે.

આ ઉપરાંત ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવાનું રહેશે.
પીઓપી કે ફાયબરની 5 ફૂટથી ઉંચી પ્રતિમાના સ્થાપન પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
પોલીસ મંજૂરી સિવાય અન્ય કોઈ જગ્યાએ મૂર્તિ વિસર્જન નહીં કરી શકાય.
મૂર્તિઓની બનાવટ કે વેચાણ સ્થળે સ્વચ્છતા જાળવવા દિશા નિર્દેશ કરાયો.
ધાર્મિક લાગણી દુભાવતી મૂર્તિઓ બનાવી કે વેચાણ નહીં કરી શકાય.

વડોદરામાં ભાવી ભક્તો દ્વારા ગણેશજીની સ્થાપના પંડાલો અને ઘરોમાં કરવામાં આવે છે. ત્યારે અત્યારથી જ તેની તૈયારીઓ કેટલીક સંસ્થાઓ તેમજ યુવક મંડળ ગ્રુપો દ્વારા કરવામાં આવી રહી છે. તેવામાં પોલીસના આ જાહેરનામાને પણ અનુસરવાનું રહેશે.

Related posts

પંચ દશનમ જુના અખાડાના મહામંડલેશ્વર પાયલટ બાબાનું દિલ્હીની એપોલો હોસ્પિટલમાં થયું નિધન

Ahmedabad Samay

કોલેજના સમયથી સેવાકીય કાર્યો કરવાનું નક્કી કર્યું હતું, વૃદ્ધાશ્રમ, હોસ્ટેલ બનાવ્યા બાદ હવે લોકોની સેવા માટે 50 કરોડના ખર્ચે અમદાવાદમાં હોસ્પિટલ બનાવીશું

Ahmedabad Samay

મેઘાણીનગરના લક્ષ્મીનગરમાં આવેલ ઓમકારનગરમાં પવેર બ્લોક અને સ્ટ્રીટ લાઇટ નાખવા માટે ખાતમુહૂર્ત કરાયું

Ahmedabad Samay

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોટી ઈજા થઈ છે

Ahmedabad Samay

કાશીના પંડિત સંજય ઉપાધ્યાયે ઈન્ડિયા એલાયન્સ, ભાજપ અને વડાપ્રધાન મોદીની કુંડળીના આધારે વિશ્લેષણ અહેવાલ તૈયાર કર્યો

Ahmedabad Samay

જુનિયર મહેમૂદનું થયું નિઃધન,જુનિયર મહમૂદ પ્રેમનો ખજાનો હતો: હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો