May 9, 2026
તાજા સમાચાર

વડોદરા – ગણેશ ચતૂર્થી નિમિત્તે વડોદરા પોલીસનું જાહેરનામું, ઉંચી પ્રતિમા પર મુકાયો પ્રતિબંધ

ગણેશ ચતૂર્થીની તૈયારીઓ અત્યારથી જ થઈ રહી છે ત્યારે આ મામલે વડોદરા પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં 9 ફૂટથી ઉંચી ગણેશ પ્રતિમા બનાવવા, વેચવા કે સ્થાપન કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે અન્ય કેટલીક બાબતોનો ઉલ્લેખ પણ જાહેરનામામાં કરવામાં આવ્યો છે.

ગણેશ પ્રતિમાની ઉંચાઈને લઈને વિવાદ થઈ શકે છે. મૂર્તિકારો અને આયોજકો આ જાહેરનામાનો વિરોધ કરે તેવી પણ શક્યતા છે. જો કે, જાહેરનામાનો ઉલ્લઘન કરે તો ફોજદારીનો કેસ પણ નોંધાઈ શકે છે તેમ ઉલ્લેખ કરાયો છે. ભક્તો માટે માટીની મૂર્તિના સ્થાપનમાં 9 ફૂટ સુધીની લિમિટ રાખવામાં આવી છે. જેથી 9 ફૂટ સુધીની મૂર્તિનું સ્થાપન કરી શકાશે.

આ ઉપરાંત ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવાનું રહેશે.
પીઓપી કે ફાયબરની 5 ફૂટથી ઉંચી પ્રતિમાના સ્થાપન પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
પોલીસ મંજૂરી સિવાય અન્ય કોઈ જગ્યાએ મૂર્તિ વિસર્જન નહીં કરી શકાય.
મૂર્તિઓની બનાવટ કે વેચાણ સ્થળે સ્વચ્છતા જાળવવા દિશા નિર્દેશ કરાયો.
ધાર્મિક લાગણી દુભાવતી મૂર્તિઓ બનાવી કે વેચાણ નહીં કરી શકાય.

વડોદરામાં ભાવી ભક્તો દ્વારા ગણેશજીની સ્થાપના પંડાલો અને ઘરોમાં કરવામાં આવે છે. ત્યારે અત્યારથી જ તેની તૈયારીઓ કેટલીક સંસ્થાઓ તેમજ યુવક મંડળ ગ્રુપો દ્વારા કરવામાં આવી રહી છે. તેવામાં પોલીસના આ જાહેરનામાને પણ અનુસરવાનું રહેશે.

Related posts

મેઘાણીનગરમાં પોસ્ટર ફાળવાની સામન્ય બાબતેને લઇ યુવકને મોતને ઘાટ ઉતાર્યો, મિત્રને બચાવવા જતા યુવકની થઇ હત્યા

Ahmedabad Samay

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું.

Ahmedabad Samay

PM મોદીની 6G સ્પીડમાં કેટલી તાકાત? જાણો 5Gની સરખામણીએ તે કેવી રીતે કામ કરશે

Ahmedabad Samay

૫૧ મુદ્દાઓમાં જાણો સમગ્ર બજેટનો સાર.

Ahmedabad Samay

દાનપાત્ર સંસ્થા દ્વારા અમદાવાદ ખાતે ફૂટપાથ રહેતા નિરાધાર પરિવારોને કપડાં આપીને મદદ કરવામાં આવી

Ahmedabad Samay

નવેમ્‍બર મહિનાની શરૂઆતની સાથે જ ફુલગુલાબી ઠંડીની પણ શરૂઆત થઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો