April 10, 2026
તાજા સમાચાર

જેતપુરના દર્દીઓ માટે સારા સમાચાર: શહેરમાં વધુ એક શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

જેતપુરના દર્દીઓ માટે સારા સમાચાર: શહેરમાં વધુ એક શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ રાજ્યસરકાર આરોગ્ય ક્ષેત્રે અગ્રેસર રહી લોકોને ઘર આંગણે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આરોગ્ય વિભાગ આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવા કટીબદ્ધ છે ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનાં શહેરી વિસ્તારમાં વધુ એક શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (UPHC)નું લોકાર્પણ ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેતપુર શહેરી વિસ્તારમાં હાલ નવાગઢ તથા ફૂલવાડી ખાતે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. ભાદરના સામાં કાંઠેના જનકલ્યાણ નગર વિસ્તારમાં વધુ એક આરોગ્ય કેન્દ્ર મંજૂર થતાં લોકોને ઘર આંગણે જ સુદ્રઢ આરોગ્યની સારવાર મળી રહેશે. આ લોકાર્પણ પ્રસંગે નગર પાલિકા પૂર્વ પ્રમુખશ્રી સુરેશભાઈ સખરેલીયા, જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયેશન પ્રમુખશ્રી જેન્તીભાઇ રામોલિયા, અગ્રણીશ્રી રમેશ જોગી, મહામંત્રીશ્રી ડી.કે. બલદાણીયા, શ્રી બાબુલાલ ખાચરીયા, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. કુલદીપ સાપરિયા, ડો. ઋત્વિજ પાંભર , નવાગઢ અર્બન હેલ્થ ઓફિસરશ્રી ડો. મિતેષ કાપડીયા, ફૂલવાડી અર્બન હેલ્થ ઓફિસરશ્રી જેન્તીભાઈ કાનાણી, તાલુકા હેલ્થના શ્રી રિંકુભાઈ દેગડા, શ્રી મેનાબેન સાકરીયા, ફીમેલ હેલ્થ વર્કર, આશા બહેનો, આગેવાનો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

અયોધ્‍યામાં શ્રી ભગવાનની મૂર્તિ માટે પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવની તડામાર તૈયારી ચાલુ

Ahmedabad Samay

બંધારણીય પ્રક્રિયા મુજબ હવે સત્તાવાર રીતે ‘કેરળ’ ઓળખાશે ‘કેરલમ

Ahmedabad Samay

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નગરપાલિકા બજેટ સભામાં 49 કરોડ ની આવક અને એક કરોડની પુરાત વાળું બજેટ મંજુર કરાયું

Ahmedabad Samay

પાકિસ્તાન દ્વારા ગત રાત્રે ભારતના 13 જેટલા સૈન્ય ઠેકાણાં પર ડ્રોન અને મિસાઇલોથી હુમલા કર્યા

Ahmedabad Samay

સી.આર. પાટીલે રેકોર્ડબ્રેક બહુમતીથી ભાજપનો વિજય થવાનો આશાવાદ વ્યક્ત કર્યા

Ahmedabad Samay

જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની અંદર ‘વ્યાસ કા તેખાના’ વિસ્તારમાં હિન્દુ દેવી-દેવતાઓની પૂજા કરવાનો અધિકાર આપ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો