June 15, 2026
ધર્મ

શ્રાદ્ધ અમાસના દિવસે થઈ રહ્યું છે સૂર્યગ્રહણ, શું શ્રાદ્ધ કરવાથી લાગશે દોષ?

વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબર, શનિવારે થવા જઈ રહ્યું છે. તેમજ આ દિવસે પિતૃપક્ષની અમાસ તિથિ છે. આવી સ્થિતિમાં શ્રાદ્ધના દિવસે સૂર્યગ્રહણ થવાનું છે. આ ગ્રહણ 14 ઓક્ટોબરે રાત્રે 8.34 વાગ્યે શરૂ થશે અને મધ્યરાત્રિ 2.25 વાગ્યે સમાપ્ત થશે. આ ગ્રહણને કંકણાકૃતિ સૂર્યગ્રહણ કહેવામાં આવશે. પિતૃપક્ષની અમાસના દિવસે થતાં સૂર્યગ્રહણની શ્રાદ્ધ વિધિ પર કોઈ વિપરીત અસર નહીં પડે, પરંતુ ગ્રહણ દરમિયાન શ્રાદ્ધ કરવું પુણ્યપૂર્ણ રહેશે. આ સાથે શ્રાદ્ધ વિધિ પર ગ્રહણની કોઈ અસર નહીં થાય. ચાલો જાણીએ કે પિતૃપક્ષના દિવસે સૂર્યગ્રહણનું શું મહત્ત્વ છે.

સુતક અથવા ગ્રહણ સમયે શ્રાદ્ધ વિધિ

સુતક કાળ અથવા ગ્રહણ દરમિયાન શ્રાદ્ધ કરવું ખૂબ જ પુણ્યકારક માનવામાં આવે છે. ગ્રહણના દિવસે શ્રાદ્ધ કર્મ, તર્પણવિધિ અને પિતૃઓના નામે દાન કરવાથી પિતૃદોષ સમાપ્ત થાય છે અને પિતૃઓ સહિત દેવી-દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સુતક કાળ અથવા ગ્રહણ દરમિયાન શ્રાદ્ધ કરવાથી કોઈ નકારાત્મક અસર થશે નહીં, તેથી ગભરાવાની જરૂર નથી, જે રીતે શ્રાદ્ધ કરવામાં આવે છે, એ જ રીતે તમે કોઈપણ ભય વિના શ્રાદ્ધ કરી શકો છો.

કન્યા અને ચિત્રા નક્ષત્રમાં સૂર્યગ્રહણ

અશ્વિન મહિનાની અમાસના દિવસે થનારું સૂર્યગ્રહણ કન્યા અને ચિત્રા નક્ષત્રમાં થઈ રહ્યું છે. જો કે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી આ ગ્રહણનો સુતક સમયગાળો પણ માન્ય રહેશે નહીં. સૂર્યગ્રહણ અને પિતૃપક્ષની અમાસની તિથિનું ધાર્મિક દૃષ્ટિકોણથી ઘણું મહત્ત્વ છે. વર્ષ 2023માં ચાર ગ્રહણ થવાના છે. તેમાંથી પહેલું સૂર્યગ્રહણ 20 એપ્રિલે થયું છે, બીજું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરે થશે. ચંદ્રગ્રહણ 5 મેના રોજ થઈ ચૂક્યું છે અને બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ 29 ઓક્ટોબરે થશે.

અહીં દેખાશે સૂર્યગ્રહણ

વર્ષનું બીજું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરના રોજ દક્ષિણ અમેરિકાના વિસ્તારો સિવાય ઉત્તર અમેરિકા, ગ્વાટેમાલા, મેક્સિકો, કેનેડા, બ્રિટિશ વર્જિન આઇલેન્ડ, આર્જેન્ટિના, એન્ટિગુઆ, કોલંબિયા, ક્યુબા, બાર્બાડોસ, પેરુ, હૈતી, ઉરુગ્વે, ડોમિનિકન, વેનેઝુએલા, જમૈકા, પેરાગ્વે, બ્રાઝિલ, બહામાસ વગેરે જેવા સ્થળોએ દેખાશે.

આ સમયથી સુતક કાળ શરૂ થશે

સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી આ ગ્રહણનો સુતક સમયગાળો માન્ય રહેશે નહીં. પણ જ્યાં આ ગ્રહણ થશે તેના 12 કલાક પહેલા સુતક કાળ શરૂ થાય છે અને ગ્રહણ પૂર્ણ થયા બાદ જ સુતક કાળ સમાપ્ત થશે. આ કિસ્સામાં, સૂતક કાળ 14 ઓક્ટોબરના રોજ સવારે 8.34 વાગ્યે શરૂ થશે અને 14 ઓક્ટોબરની મધ્યરાત્રિ 2.25 વાગ્યે ગ્રહણ સમાપ્ત થશે, અને આ સાથે સૂતક કાળ પણ સમાપ્ત થશે. આ રીતે સૂર્યગ્રહણ 14 અને 15 ઓક્ટોબરની મધ્યરાત્રિએ થશે.

Related posts

જો તમે ધંધામાં પ્રગતિ કરવા માંગો છો તો તમારી ઓફિસમાં વાસ્તુના નિયમોનું ધ્યાન રાખો

Ahmedabad Samay

નરોડાના મહાદેવ રેસીડેન્સીમાં મહાશિવરાત્રી નિમિત્તે શિવજીના મંદિર ની સુંદર સજાવટ કરાઈ

Ahmedabad Samay

જો તુલસીના એકથી વધુ છોડ લગાવ્યા હોય તો રાખો આ નિયમોનું ધ્યાન, સહન કરવું પડી શકે છે ભારે નુકસાન

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદની છઠ પૂજા સેવા સમિતિ દ્વારા અમરાઇવાડી વિધાનસભામાં આસ્થા અને સૂર્ય ઉપાસનાના પર્વ છઠ્ઠ પૂજાના છઠ્ઠા વર્ષના કાર્યક્રમનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક મહિના માટે પૂજય પ્રમુખ સ્‍વામી મહારાજના શતાબ્‍દી મહોત્‍સવનો સાંજથી પ્રારંભ, વડાપ્રધાને આપી હાજરી

Ahmedabad Samay

કાલે છે અજા એકાદશી,જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા અજા એકાદશીના દિવસે કઇ વાતોનું ધ્યાન રાખવું અને શું થશે લાભ.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો