August 8, 2026
ધર્મ

પિતૃ પક્ષમાં કરો એક નાનો ઉપાય, મળશે તર્પણ-પિંડ દાન સમાન ફળ

સનાતન ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્ત્વ હોય છે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની આત્માને શાંતિ આપવી અને પિંડદાન કરવું શુભ માનવામાં આવે છે. જો તમને પિતૃ દોષનો સામનો કરવો પડી રહ્યો છે તો પિતૃપક્ષ દરમિયાન અનેક ઉપાય કરવાથી પિતૃ દોષ દૂર થઈ શકે છે. હિંદુ કેલેન્ડર મુજબ, પિતૃપક્ષ ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાથી આસો મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ સુધી હોય છે. ચાલો જાણીએ આ વખતે પિતૃ પક્ષ કેટલો સમય ચાલશે. આ સમય દરમિયાન, તમે તુલસીના નાના ઉપાયથી શ્રાદ્ધ કર્મના બરાબર પરિણામ મેળવી શકો છો. આ ઉપાયો કરવાથી પિતૃઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

પિતૃ પક્ષ 2023 તારીખ

પંચાંગ અનુસાર ભાદરવાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિથી પિતૃ પક્ષ શરૂ થાય છે. આ તારીખ 27 સપ્ટેમ્બર 2023 ના રોજ આવી રહી છે, આવી સ્થિતિમાં આ દિવસે પિતૃ પક્ષ શરૂ થશે. જે પછી પિતૃ પક્ષ 14 ઓક્ટોબર 2023 ના રોજ આસો મહિનાના કૃષ્ણ પક્ષની અમાસના દિવસે સમાપ્ત થઈ રહ્યો છે. આ સમય પૂર્વજોના તર્પણ અને પિંડદાન માટે ખાસ છે.

કરો તુલસીનો આ ઉપાય

પિતૃપક્ષનો સમય પિંડ દાન અને તર્પણ કરવા માટે ખૂબ જ શુભ છે. આ દિવસોમાં પિંડ દાન, તર્પણ અને શ્રાદ્ધની સાથે તુલસીના ઉપાય પણ લાભ આપે છે. પિતૃ પક્ષ દરમિયાન 15 દિવસના સમયગાળા દરમિયાન તમે તુલસી પર ગંગાજળ ચઢાવવાનો આ ઉપાય કરી શકો છો.

આ રીતે ચઢાવો ગંગાજળ

પિતૃપક્ષ દરમિયાન તુલસીના કૂંડામાં એક નાનો વાટકો રાખો અને આ વાટકામાં થોડું-થોડું પાણી ચઢાવો. આ પછી હાથમાં ગંગા જળ લઈને 5 કે 7 વાર પિતૃઓનું નામ લેવું. ભગવાન શિવના નામનો જાપ કર્યા પછી ધીમે ધીમે તુલસીમાં જળ ચઢાવો. ધ્યાન રાખો કે તમારે આ ઉપાય એકાદશી અને રવિવારે ન કરવો જોઈએ. આ દિવસે તુલસીને જળ ચઢાવવાની મનાઈ છે.

Related posts

જાણો આ સપ્તાહ કેવો રહેશે આપનો, જાણો સાપ્તાહિક રાશિફળ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

Weekly Rashifal: આ રાશિના જાતકો આ સપ્તાહ માટે ભાગ્યશાળી રહેશે, જલ્દી પ્રમોશન મળશે

Ahmedabad Samay

સપનામાં સતત દેખાય છે દૂધ, તો જીવનમાં આવી શકે છે આ મોટા ફેરફારો

Ahmedabad Samay

આજે  બાબા નીબ કરૌરી મહારાજનો ૧૨૫મો જન્મોત્સવ

Ahmedabad Samay

માત્ર હાથની રેખાઓ જ નહીં, નખના આ નિશાન પણ જણાવે છે ભાગ્ય અને ભવિષ્યનું રહસ્ય, આ રીતે જાણો શુભ કે અશુભ

Ahmedabad Samay

તુલસી પર આ સમયે ચઢાવવું જોઈએ જળ, જાણો કેવી રીતે કરવી તુલસીની પૂજા અને કાળજી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો