June 24, 2026
ગુજરાત

સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ કદ્દાવર કોળી આગેવાન સોમા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ

સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ કદ્દાવર કોળી આગેવાન સોમા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે.ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને લખેલા પત્રમાં સોમા પટેલે અંગત કારણોસર પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા હોવાનું જણાવ્યું છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસે અહીં ઋત્વિક મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે.

સુરેન્દ્રનગર લોકસભા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. આ બેઠક પર અત્યાર સુધીની 15 ચૂંટણીઓ પૈકી 7 વખત કોંગ્રેસ ઉમેદવારોએ જીત મેળવી છે. જ્યારે છેલ્લી બે ટર્મથી ભાજપના ઉમેદવાર જીતી રહ્યાં છે. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મુંજપરાએ કોંગ્રેસના સોમા પટેલને હરાવ્યા હતા. આજે કોંગ્રેસ સાથે છેડો ફાડનાર સોમા પટેલ અગાઉ ભાજપમાં જોડાયા હતા.

સોમા પટેલ પક્ષ પલટા માટે જાણીતા છે. આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર સોમા પટેલ અગાઉ પણ 2020માં હાથનો સાથ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. જો કે પાછળથી ફરીથી સોમા પટેલે કોંગ્રેસમાં ઘર વાપસી કરી હતી.

Related posts

શ્રી દિનેશ દેવલેકરે ગુડી પાડવા નિમિતે ગુડી બનાવી પૂજા કરી અને કોરોનાથી વિશ્વને મુક્તિ મળે તેવી પ્રાર્થના કરી

Ahmedabad Samay

અમદાવાદ થી ગાંધીનગર મેટ્રો રૂટ, સમય અને ટિકિટનો દર

Ahmedabad Samay

ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલના જાતિવાદના નિવેદન થી લોકોમાં રોષ દેખાયો

Ahmedabad Samay

ભૂજ – પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

Ahmedabad Samay

અમદાવાદમાં શ્રાવણ માસને લઇ AMCએ ધાર્મિક યાત્રા માટે શહેરીજનો માટે ખાસ આયોજન કર્યું. જેમાં AMTS શહેરના 30 પૌરાણીક ધાર્મિક સ્થળોની યાત્રા કરાવશે

Ahmedabad Samay

અમદાવાદ – ગાંધીનગર પોઇન્ટ બસ સેવા શરૂ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો