March 23, 2026
ગુજરાત

GST કાઉન્‍સિલની ૫૬મી બેઠકમાં ૧૨ ટકા GST સ્‍લેબ નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે, મધ્યમવર્ગના લોકોને થશે ફાયદો

કેન્‍દ્ર સરકાર ટૂંક સમયમાં ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ (GST) ના માળખામાં મહત્‍વપૂર્ણ ફેરફારો કરી શકે છે, જેનાથી સામાન્‍ય ગ્રાહકોને રાહત મળી શકે છે. સરકારી સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલોમાં જણાવાયું છે કે ચર્ચા હેઠળનો મુખ્‍ય પ્રસ્‍તાવ એ છે કે કાં તો કેટલીક આવશ્‍યક ચીજવસ્‍તુઓ પરનો GST ૧૨% થી ઘટાડીને ૫્રુ કરવામાં આવે અથવા ૧૨% સ્‍લેબને સંપૂર્ણપણે દૂર કરવામાં આવે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, હાલમાં ૧૨% GST લાગતી મોટાભાગની વસ્‍તુઓ સામાન્‍ય નાગરિકો દ્વારા રોજિંદા જીવનમાં વપરાતી વસ્‍તુઓ છે. આમાં એવા ઉત્‍પાદનોનો સમાવેશ થાય છે જે મધ્‍યમ વર્ગ અને આર્થિક રીતે નબળા પરિવારોના વપરાશ પેટર્નમાં મુખ્‍ય સ્‍થાન ધરાવે છે.જીએસટી કાઉન્‍સિલની આગામી ૫૬મી બેઠકમાં આ અંગે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે અને આ મહિને જીએસટી કાઉન્‍સિલની બેઠક યોજાઈ શકે છે.

જો સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવે તો, જૂતા, ચંપલ, મીઠાઈ, કપડાં, સાબુ, ટૂથપેસ્‍ટ અને ડેરી ઉત્‍પાદનો જેવી ઘણી વસ્‍તુઓ જે હાલમાં ૧૨% સ્‍લેબમાં છે તે સસ્‍તી થઈ શકે છે. આ ઉપરાંત, પનીર, ખજૂર, સૂકા ફળો, પાસ્‍તા, જામ, પેકેજ્‍ડ ફળોનો રસ, નમકીન, છત્રીઓ, ટોપીઓ, સાયકલ, લાકડાનું ફર્નિચર, પેન્‍સિલો, શણ અથવા કપાસમાંથી બનેલી હેન્‍ડબેગ, શોપિંગ બેગનો પણ તેમાં સમાવેશ થાય છે.

સરકાર તરફથી જીએસટી મોરચે મોટી રાહતના સંકેતો પહેલાથી જ મળી રહ્યા છે. ગયા વર્ષે માર્ચ મહિનામાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ કહ્યું હતું કે GST ટેક્‍સ સ્‍લેબને તર્કસંગત બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી, GST દરો વધુ ઘટશે. ત્‍યારથી, GST ટેક્‍સ સ્‍લેબમાં ફેરફારની અપેક્ષા હતી અને હવે સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આગામી કાઉન્‍સિલની બેઠકમાં આ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.

આગામી દિવસોમાં યોજાનારી GST કાઉન્‍સિલની ૫૬મી બેઠકમાં ૧૨ ટકા GST સ્‍લેબ નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

Related posts

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઈલેકટ્રીક વાહન ચાર્જિંગ પોલિસી-૨૦૨૧ તૈયાર કરી

Ahmedabad Samay

સોલા સિવિલ હોસ્પિટલમાં એક મહિલા અને ચાર પુરુષોને કોરોનાની રસી આપવામાં આવી

Ahmedabad Samay

મરાઠી સમાજના પંદિરકર મહારાજના નિવાસસ્થાને સમાજ અને પરિવાર સાથે મળી જન્માષ્ટમી ઉજવાઇ

Ahmedabad Samay

ધોરણ-૧ર બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. ૧ જુલાઇ ર૦ર૧ ગુરુવાર થી યોજાશે

Ahmedabad Samay

ગણેશ મહોત્સવમાં મહત્તમ ૪ ફુટની તથા ઘરમાં ૨ ફુટની મૂર્તિઓની સ્થાપના કરી શકાશે. ગણેશ મહોત્સવની મહત્વની બાબતો

Ahmedabad Samay

દેશ વિરોધી જાસૂસી પ્રવૃત્તિ કરનાર ISI એજન્ટ દીપક સાળુંની પૂછતાછ કરતા વધુ ચોકાંવનારી વિગતો સામે આવી છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો