નરેન્દ્રભાઈના શપથવિધિ સમારોહમાં આવતીકાલે સંખ્યાબંધ વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહેશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે સાંજે સાત વાગ્યે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઇ રહ્યા છે,
આ સમારોહમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ, માલદીવના રાષ્ટ્રપતિ, બાંગ્લાદેશના વડાપ્રધાન, મોરેશિયસના વડાપ્રધાન, નેપાળના વડાપ્રધાન, ભુતાનના વડાપ્રધાન, સેશેલ્સનાઉપરાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોનો સમાવેશ થશે.
મળતી માહિતી મુજબ પ્રધાનોને સોમવારે ખાતાની ફાળવણી કરી દેવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમના નવા મંત્રીમંડળના તમામ પ્રધાનોને સોમવારે પોર્ટફોલિયોની ફાળવણી કરી દેવાશે
