March 23, 2026
રાજકારણ

અમિતશાહે રાહુલ ગાંધીના સેનાના જવાનોની જાતિ અને ધર્મ જાણવાના નિવેદન પર આક્રોશ વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમને આ વાત કહેતા શરમ આવવી જોઈએ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગુરુવારે બિહારમાં ચૂંટણી રેલીઓ સંબોધી હતી, જ્યાં તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર જોરદાર શાબ્દિક પ્રહાર કર્યા હતા. શાહે રાહુલ ગાંધીના સેનાના જવાનોની જાતિ અને ધર્મ જાણવાના નિવેદન પર આક્રોશ વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમને આ વાત કહેતા શરમ આવવી જોઈએ.

અમિતભાઈ શાહે મધુબની, પશ્ચિમ ચંપારણ અને મોતિહારીમાં રૅલીઓને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે બિહારની ચૂંટણીને ‘ઘૂસણખોરોથી મુક્તિનું અભિયાન’ ગણાવ્યું. શાહે કહ્યું કે અવૈધ બાંગ્લાદેશી ઘૂસણખોરો દેશ માટે સુરક્ષાનો ખતરો છે અને તેઓ બિહાર તેમજ દેશના લોકોની નોકરીઓ છીનવી રહ્યા છે.

સુરક્ષા અને રોજગાર: શાહે ભારપૂર્વક જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા અને યુવાનોના રોજગારના મુદ્દાને અવૈધ ઘૂસણખોરીથી અલગ કરી શકાય નહીં. તેમણે રાહુલ ગાંધીના નિવેદનને રાષ્ટ્રીય સુરક્ષાના ગંભીર મામલામાં રાજનીતિ સાથે જોડવાનો પ્રયાસ ગણાવ્યો. આ નિવેદનોથી બિહારના ચૂંટણી પ્રચારમાં ગરમાવો વધી ગયો છે

Related posts

લિકર કેસમાં દિલ્‍હીના પૂર્વ મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત તમામ ૨૩ આરોપીઓને નિર્દોષ જાહેર, સત્યની લાંબા સમયે જીત

Ahmedabad Samay

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કોઈની શાજીસ કે પછી ટ્રમ્પ જાતેજ હુમલો કરાવ્યો ?

Ahmedabad Samay

ભુપેન્દ્રભાઈનાનવા મંત્રીમંડળમાં ૧૦ કેબિનેટ પ્રધાનો, પાંચને સ્વતંત્ર હવાલો અને નવ રાજ્યકક્ષાના પ્રધાનો બન્યા

Ahmedabad Samay

ભાજપના સ્થાપના દિને અમિત શાહ આવશે ગુજરાત, મત વિસ્તારમાં સમીક્ષા બેઠક કરશે

Ahmedabad Samay

આજે PM મોદી નિકોલ ખોડલધામ ગ્રાઉન્‍ડ ખાતે રોડ શો કરશે અને જાહેર સભાને સંબોધશે

Ahmedabad Samay

ઉદ્ઘવ ઠાકરેને વધુ એક મોટો આંચકો, ઉદ્ઘવ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી ઉદય સામંત પણ બળવાખોર એકનાથ શિંદેની છાવણીમાં જોડાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો