November 14, 2025
જીવનશૈલીતાજા સમાચાર

હાશ લૉન થઇ સસ્તી,લોન લેવી સસ્‍તી થશે. તેમજ તેમનો EMI બોજ પણ ઓછો થશે જે મધ્યમવર્ગીય માટે ખુશીના સમાચાર

મધ્‍યમ વર્ગને આવકવેરામાં રાહત આપ્‍યા બાદ હવે મધ્‍યમ વર્ગને સસ્‍તી લોનની ભેટ મળી. નવા RBI ગવર્નર સંજય મલ્‍હોત્રાના નેતળત્‍વમાં મળેલી નાણાકીય નીતિ સમિતિ (MPC) ની પ્રથમ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે. MPC એ લગભગ પાંચ વર્ષ પછી રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો છે. તમને જણાવી દઈએ કે રેપો રેટ છેલ્લા બે વર્ષથી ૬.૫૦ ટકા પર સ્‍થિર હતો.હવે લોકો માટે લોન લેવી સસ્‍તી થશે. તેમજ તેમનો EMI બોજ પણ ઓછો થશે.

ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટ ઘટાડીને મધ્‍યમ વર્ગને મોટી રાહત આપી છે. રેપો રેટમાં આ ઘટાડો ૨૫ બેસિસ પોઈન્‍ટનો છે, જેના કારણે વર્તમાન રેપો રેટ હવે ૬.૨૫ ટકા થઈ ગયો છે. રેપો રેટમાં આ ઘટાડો ૫ વર્ષ પછી કરવામાં આવ્‍યો છે. આ પહેલા, રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયા (RBI) એ મે ૨૦૨૦ માં રેપો રેટમાં ઘટાડો કર્યો હતો. જોકે તે પછી ધીમે ધીમે તેને વધારીને ૬.૫ ટકા કરવામાં આવ્‍યું. છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૩માં રેપો રેટમાં વધારો કરવામાં આવ્‍યો હતો.

મલ્‍હોત્રાએ કહ્યું કે બેઠકમાં આર્થિક વિકાસ પર ચર્ચા થઈ. મલ્‍હોત્રાએ વધુમાં કહ્યું કે અમે બેઠકમાં નિર્ણય લીધો છે કે રેપો રેટ ઘટાડવામાં આવી રહ્યો છે. હવે રેપો રેટ ૬.૫૦ થી ઘટાડીને ૬.૨૫ કરવામાં આવી રહ્યો છે. રેપો રેટમાં ઘટાડા બાદ, તમારી લોનની EMI હવે ઓછી થશે.

મોનેટરી પોલિસી કમિટી (MPC) ની ત્રણ દિવસીય બેઠક બુધવાર, ૫ ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી, જેમાં ૭ ફેબ્રુઆરીએ વ્‍યાજ દરો અંગે મોટો નિર્ણય લેવામાં આવ્‍યો હતો. સંજય મલ્‍હોત્રા RBI ગવર્નર બન્‍યા પછી આ બેઠક પહેલી વાર થઈ છે. ડિસેમ્‍બર ૨૦૨૪માં શક્‍તિકાંત દાસનો કાર્યકાળ પૂરો થયા પછી તેમણે પદ સંભાળ્‍યું.

મલ્‍હોત્રાએ કહ્યું કે વિશ્વની આર્થિક સ્‍થિતિ હજુ પણ મુશ્‍કેલ છે. તેમણે એમ પણ કહ્યું કે ‘વિશ્વભરમાં ફુગાવામાં ઘટાડાની ગતિ અટકી ગઈ છે. વૈશ્વિક અર્થતંત્ર પડકારોનો સામનો કરી રહ્યું છે. તે જ સમયે, વૈશ્વિક સ્‍તરે ફુગાવો પણ વધી રહ્યો છે. ફેડરલ રિઝર્વ બેંક દ્વારા પણ દરોમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. ભૂ-રાજકીય તણાવ પણ વધી રહ્યો છે. જેના કારણે સમગ્ર વિશ્વની અર્થવ્‍યવસ્‍થા પ્રભાવિત થઈ રહી છે. ભારતીય રૂપિયો હાલમાં દબાણ હેઠળ છે. રિઝર્વ બેંક સામે ઘણા મોટા પડકારો છે.

નાણાકીય વર્ષ ૨૦૨૫ માં વાસ્‍તવિક GDP વળદ્ધિ ૬.૫ ટકા રહેવાનો અંદાજ છે, જે ગયા વર્ષના ૮.૨ ટકાથી વધુ છે. આગામી વર્ષોમાં GDP માં સુધારો થશે. ઉત્‍પાદન ક્ષેત્રમાં સુધારો થયો છે. ખાણકામ ક્ષેત્રમાં પણ સુધારો થયો છે. છેલ્લા ક્‍વાર્ટરમાં PMI સેવામાં ઘટાડો થયો. ગ્રામીણ વિસ્‍તારોમાં માંગ વધી રહી છે.

ગવર્નર સંજય મલ્‍હોત્રાએ જણાવ્‍યું હતું કે આ નાણાકીય વર્ષમાં રેપો રેટ ફુગાવો ૪.૭ ટકા રહેવાની ધારણા છે. ભવિષ્‍યમાં ફુગાવાનો દર વધુ ઘટશે.

Related posts

વહેલી સવારે જોધપુરથી બાંદ્રા જઈ રહેલી સૂર્યનગરી એક્‍સપ્રેસના ૧૨ ડબ્‍બા પાટા પરથી ઉતરી ગયા. હેલ્પલાઇન નંબર જાહેર કર્યા

Ahmedabad Samay

કેન્દ્રની મોદી સરકારે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું

Ahmedabad Samay

ઘર વપરાશના ખર્ચમાં થશે વધારો,બાથ અને લોન્ડ્રી સાબુ, ડિટર્જન્ટ અને અન્ય પ્રોડક્ટ્સના ભાવમાં વધારો

Ahmedabad Samay

જાણો ઇરાદ ની શક્તિ પ્રવકતા વિજય કોતાપકર ની જુબાની

Ahmedabad Samay

Dark Circles On Neck: ગરદન પરના ડાર્ક સર્કલને અવગણશો નહીં, આ રોગ શરૂ થઈ શકે છે

Ahmedabad Samay

જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની અંદર ‘વ્યાસ કા તેખાના’ વિસ્તારમાં હિન્દુ દેવી-દેવતાઓની પૂજા કરવાનો અધિકાર આપ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો