November 13, 2025
ગુજરાતઅપરાધતાજા સમાચાર

મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનાની પ્રારંભિક તપાસમાં જ કેટલીક ચોંકાવનારી વિગતો આવી સામે

મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનાની પ્રારંભિક તપાસમાં જ કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઓરેવાઍ બ્રિજનું જે રીતે કહેવાતું રિનોવેશન કર્યું તેના પર પણ અનેક સવાલ ખડા થયા છે. ઍક તરફ ઓરેવાના માલિક જયસુખ પટેલે આ બ્રિજના સમારકામમાં બે કરોડ રુપિયાનો ખર્ચો થયો હોવાનો દાવો કર્યો છે, તો બીજી તરફ તેના વર્ષો જૂના કેબલને માત્ર પોલિશ અને કલર કર્યા સિવાય બીજું કંઈ ખાસ કામ નહોતું કરાયું. અત્યારસુધીની તપાસમાં કટાયેલા કેબલ્સને બદલવામાં આવ્યા હોય તેવું કશુંય બહાર નથી આવ્યું.

આ બ્રિજને ડિસેમ્બર સુધીમાં તૈયાર કરી દેવા માટે કોન્ટ્રાક્ટરને સમય અપાયો હતો. જોકે, દિવાળી અને બેસતા વર્ષને ધ્યાનમાં રાખતા બ્રિજ વહેલો ખૂલ્લો મુકી દેવાયો હતો. બ્રિજ પડ્યો ત્યારે તેના પર ૪૦૦ જેટલા લોકો ઉપસ્થિત હતા, અને તેમાંથી મોટાભાગના દુર્ઘટના બની ત્યારે લીલ અને જળકુંભીથી છવાયેલી મચ્છુ નદીમાં પડ્યા હતા. બ્રિજમાં જે કંઈ કામ થયું તે માત્ર તેના ચાલવાના ભાગમાં જ થયું હોવાની શક્યતા છે. જોકે, તેમાં પણ જે મટિરિયલ વપરાયું હતું તેના કારણે બ્રિજનું વજન વધી જવાથી તેની લોકોનો ભાર વહન કરવાની ક્ષમતા ઘટી ગઈ હતી.

ઍક તરફ વજન વધતા બ્રિજના સ્ટ્રક્ચર પર સવાલ ઉભા થયા હતા તેવામાં મોટી સંખ્યામાં પણ લોકો ઉમટી પડતાં જોખમ ઓર વધી ગયું હતું. જેના કારણે તેના કેબલ તૂટી પડ્યા હતા અને આખરે ઍવી ગોઝારી દુર્ઘટના ઘટી હતી કે જેની કોઈઍ કલ્પના પણ નહોતી કરી. આ ઉપરાંત, ઈમરજન્સી રેસ્ક્યુ માટે પણ કોઈ સુવિધા ના હોવાથી મચ્છુમાં ખાબકેલા અનેક લોકોને બચાવી નહોતા શકાયા.

તપાસમાં ઍવું જાણવા મળ્યું છે કે આ બ્રિજનું ખરેખર કોઈ રિનોવેશન થયું જ નહોતું, અને જે કંઈ રિપેરિંગ કામ થયું હતું તે પણ કોઈ અનુભવી દ્વારા નહોતું કરાયું. તપાસ સાથે સંકળાયેલા ઍક અધિકારીઍ ઍમ પણ જણાવ્યું હતું કે બ્રિજનું કામ સ્થાનિક સબ-કોન્ટ્રાક્ટર દ્વારા કરાયું હતું અને તેમને આ કામનો કોઈ અનુભવ નહોતો. આમ કરવાની મંજૂરી કઈ રીતે અપાઈ તેની પણ તપાસ ચાલી રહી છે.

૨૦૦૮થી ઓરેવા આ બ્રિજ સાથે સંકળાયેલી છે. સૂત્રોનું માનીઍ તો, માર્ચ ૨૦૨૨માં ફરી ઓરેવાને બ્રિજનો સંપૂર્ણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ વખતે તેને કઈ રીતે કોન્ટ્રાક્ટ અપાયો તેમજ તેની કઈ શરતો અને નિયમોનો ભંગ કરાયો છે તેની પણ તપાસ કરાશે. રવિવારે મોરબીના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાઍ કહ્નાં હતું કે, તંત્રને જાણ કર્યા વિના જ બ્રિજ ખુલ્લો મુકી દેવાયો હતો. તેનું ફિટનેસ સર્ટિ લેવાયું હતું કે નહીં તેની પણ નગરપાલિકાને જાણ નથી.

પોલીસે આ મામલે નવ લોકોની ધરપકડ કરી હતી. જેમાં ઓરેવાના બે મેનેજરનો પણ સમાવેશ થાય છે. જોકે, હજુ સુધી ઍ સ્પષ્ટ નથી થઈ શક્યું કે બ્રિજના કામકાજને લઈને કોઈ નિર્ણય લેવાની આ મેનેજરોને સત્તા હતી કે નહીં? બ્રિજ ખુલ્લો મુકાઈ ગયા બાદ પણ કોઈ કાર્યવાહી ના કરનારા નગરપાલિકાના અધિકારીઓની ભૂમિકા પણ ચકાસવામાં આવી રહી છે.
કેસની તપાસ જેમ-જેમ આગળ વધતી જશે તેમ ઓરેવા ઉપરાંત નગરપાલિકાના અધિકારીઓના નામ જ્ત્ય્માં ઉમેરાતા જશે તેમ પોલીસ સૂત્રોનું કહેવું છે. સૂત્રોનું માનીઍ તો, ઓરેવાઍ કરારની અનેક શરતોનો ભંગ કર્યો હતો. પોલીસે આ મામલે વધુ વિગતો મેળવવા નગરપાલિકાને કેટલાક પ્રશ્નો મોકલી તેના જવાબ પણ માગ્યા છે. ૧૩૫ લોકોના ભોગ લેનારો બ્રિજ કઈ રીતે તૂટ્યો અને તેની પાછળના કારણો શું હતા તેની વિગતવાર માહિતી મેળવવા પોલીસે સ્ટ્રક્ચરલ ઍન્જિનિયર્સ અને ઍક્સપર્ટ્સની પણ મદદ માગી છે.

Related posts

65 જેટલી ગ્રાન્ટેડ સ્કૂલોએ વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 2.02 કરોડની વધારાની ફી ઉઘરાવી,બે દિવસમાં જ વધારાની ફી પરત આપવા DEOનો આદેશ

Ahmedabad Samay

ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજથી નવું પોર્ટલ કાર્યરત કરાશે

Ahmedabad Samay

અમદાવાદ: રખડતા ઢોરના ત્રાસને ડામવા નવતર પ્રયોગ! 96 હોટસ્પોટ નક્કી કરાયા, AMC બાઉન્સરો રાખશે!

admin

અમદાવાદ: બ્લફ માસ્ટર કિરણ પટેલ કેસને લઈ મોટા સમાચાર, આજે ક્રાઇમ બ્રાંચ કરી શકે છે આ કામ!

admin

જીસીએસ હોસ્પિટલ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે કુહા ખાતે વૃદ્ધાશ્રમમાં નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

Ahmedabad Samay

આજે વધુ એક મહિલાએ સાબરમતીમાં ઝમ્પલાવ્યું, સાબરમતી નદી સુસાઇડ પોઇન્ટ બની રહ્યું છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો