February 5, 2026
ગુજરાત

પહેલગામ હુમલામાં મૃતક શૈલેષભાઈની પત્ની શિતલબેનએ જણાવ્યું હતું કે મને મારી સરકાર પર પુરેપુરો ભરોસો હતો

આજે ભારતીય સેનાએ પહેલગામ હુમલાનો બદલો લીધો છે ત્યારે શૈલેષભાઈની પત્ની શીતલબેનએ કહ્યું કે મને મારી સરકાર પર પુરેપુરો ભરોસો હતો. જેવી આજે ખબર પડી કે વડાપ્રધાને આતંકવાદીઓને શોધી શોધીને તેમના ઠેકાણા પર જઈને તેઓને માર્યા છે. આ સાંભળીને મારા પતિની આત્માને ખુબ શાંતિ મળશે.

મૃતક શૈલેષભાઈની પત્ની શિતલબેનએ જણાવ્યું હતું કે મને મારી સરકાર પર પુરેપુરો ભરોસો હતો. જેવી આજે ખબર પડી કે વડાપ્રધાન મોદીએ આતંકવાદીઓને શોધી શોધીને તેમના ઠેકાણા પર જઈને તેઓને માર્યા છે. આ સાંભળીને મારા પતિની આત્માને ખુબ શાંતિ મળશે. સાથે સાથે બીજા જે 25 ભાઈઓના જીવ ગયા છે. તેમની આત્માને પણ શાંતિ મળશે અને સરકારને હું હજુ એક અપીલ કરવા માંગું છું કે મહારાષ્ટ્રની સરકારે અહીંયાના લોકોને સહાય કરી છે, ત્યારે ગુજરાત સરકાર મને તેનાથી વધારે સહાય કરશે અને મને અને મારા દીકરાઓને સારી રીતે ન્યાય અપાવશે.

ઉલ્લેખનીય છે કે શૈલેષ હિંમતભાઈ કળથિયા સુરતના વતની હતા અને તેઓ હાલમાં મુંબઈ રહેતા હતા. તેઓ બે બાળકો અને પત્ની સાથે કાશ્મીર ફરવા ગયા હતા ત્યારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં તેઓનું પણ મોત થયું હતું. તેમના અંતિમ સંસ્કાર પણ સુરત શહેરમાં કરવામાં આવ્યા હતા. આજે જયારે ભારત સરકારે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું છે અને આતંકવાદીઓના ઠેકાણાઓ નેસ્તનાબુદ કર્યા છે ત્યારે આ કાર્યવાહીથી મૃતક શૈલેષભાઈની પત્ની શીતલબેનએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને પતિની આત્માને શાંતિ મળશે તેમ જણાવ્યું હતું.

Related posts

ઇન્ડિયા કોલોની વોર્ડ ખાતે  ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન કરાયું

Ahmedabad Samay

વિદ્યાર્થીઓ ને ટેબ્લેટ વિતરણ કરાશે.

Ahmedabad Samay

વર્લ્ડ મેન્ટલ હેલ્થ દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ માટે સેમિનાર યોજાયો

Ahmedabad Samay

રામોલ પોલીસ સ્ટેશનમાં પ્રથમ વખત આઇસોલેશન રૂમ બનાવવામાં આવ્યા

Ahmedabad Samay

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સતત ત્રીજા દિવસે મેઘમેહેર

Ahmedabad Samay

અપક્ષ નેતા દિનેશ શર્માની ચાંદખેડા વોર્ડથી હાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો