May 21, 2026
ગુજરાત

પહેલગામ હુમલામાં મૃતક શૈલેષભાઈની પત્ની શિતલબેનએ જણાવ્યું હતું કે મને મારી સરકાર પર પુરેપુરો ભરોસો હતો

આજે ભારતીય સેનાએ પહેલગામ હુમલાનો બદલો લીધો છે ત્યારે શૈલેષભાઈની પત્ની શીતલબેનએ કહ્યું કે મને મારી સરકાર પર પુરેપુરો ભરોસો હતો. જેવી આજે ખબર પડી કે વડાપ્રધાને આતંકવાદીઓને શોધી શોધીને તેમના ઠેકાણા પર જઈને તેઓને માર્યા છે. આ સાંભળીને મારા પતિની આત્માને ખુબ શાંતિ મળશે.

મૃતક શૈલેષભાઈની પત્ની શિતલબેનએ જણાવ્યું હતું કે મને મારી સરકાર પર પુરેપુરો ભરોસો હતો. જેવી આજે ખબર પડી કે વડાપ્રધાન મોદીએ આતંકવાદીઓને શોધી શોધીને તેમના ઠેકાણા પર જઈને તેઓને માર્યા છે. આ સાંભળીને મારા પતિની આત્માને ખુબ શાંતિ મળશે. સાથે સાથે બીજા જે 25 ભાઈઓના જીવ ગયા છે. તેમની આત્માને પણ શાંતિ મળશે અને સરકારને હું હજુ એક અપીલ કરવા માંગું છું કે મહારાષ્ટ્રની સરકારે અહીંયાના લોકોને સહાય કરી છે, ત્યારે ગુજરાત સરકાર મને તેનાથી વધારે સહાય કરશે અને મને અને મારા દીકરાઓને સારી રીતે ન્યાય અપાવશે.

ઉલ્લેખનીય છે કે શૈલેષ હિંમતભાઈ કળથિયા સુરતના વતની હતા અને તેઓ હાલમાં મુંબઈ રહેતા હતા. તેઓ બે બાળકો અને પત્ની સાથે કાશ્મીર ફરવા ગયા હતા ત્યારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં તેઓનું પણ મોત થયું હતું. તેમના અંતિમ સંસ્કાર પણ સુરત શહેરમાં કરવામાં આવ્યા હતા. આજે જયારે ભારત સરકારે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું છે અને આતંકવાદીઓના ઠેકાણાઓ નેસ્તનાબુદ કર્યા છે ત્યારે આ કાર્યવાહીથી મૃતક શૈલેષભાઈની પત્ની શીતલબેનએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને પતિની આત્માને શાંતિ મળશે તેમ જણાવ્યું હતું.

Related posts

ધંધાર્થીઓ માટે બાકડા પણ નથી જેથી નીચે પાથરી ને શાકભાજી રાખવા પડે : આકરા તાપ વચ્ચે વેપારીઓ અને ગ્રાહકો મુશ્કેલી અનુભવે

Ahmedabad Samay

આજે શહેરના તમામ 300 વેક્સિન સેન્ટરો બંધ રહેશે

Ahmedabad Samay

નવસારી: તલાટી કમ મંત્રીની પરીક્ષાના કેન્દ્રોની આસપાસ 100 મીટરની અંદર ઝેરોક્ષ-ફેક્સ પર પ્રતિબંધ

Ahmedabad Samay

રાજ્યમાં અનગોળા સમાન પડી રહેલી ગરમીથી રાહત મળશે, આજથી તાપમાન ઘટશે

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે નીકળશે ભવ્ય શિવ બારાત અને યોજાશે રુદ્ર મહાયજ્ઞ

Ahmedabad Samay

લોકસભા ની ચુંટણી પહેલા બે નવયુવાનો બ્રિજેશ પરમાર અને હર્ષ સોલંકી એ ૨૦૦ જેટલા નવયુવાનો અને યુવતીઓ કેસરિયો ધારણ કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો