March 23, 2026
મનોરંજન

સાઉથ ફિલ્મોના જાણીતા અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું થયું નિધન

સાઉથ ફિલ્મોના જાણીતા અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું નિધન થયું છે. તેઓ છેલ્લા પાંચ દાયકાથી સિનેમામાં કામ કરી રહ્યા હતા. તેમણે મોટાભાગની ફિલ્મોમાં ખલનાયકનું પાત્ર ભજવીને દર્શકોના હૃદયમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. હવે તેમના જવાથી ફિલ્મ સ્ટાર્સ માટે મોટો આઘાત લાગ્યો છે.

કોટા શ્રીનિવાસ રાવે આજે રવિવારે હૈદરાબાદમાં 83 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. તેઓ ઉંમર સંબંધિત રોગોથી પીડાતા હતા. કોટાના જવાથી ફિલ્મ જગતને મોટો આઘાત લાગ્યો છે. ઘણા સ્ટાર્સે તેમના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે.


કન્નપ્પા સ્ટાર વિષ્ણુ મંચુએ કોટા શ્રીનિવાસના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ભાવનાત્મક પોસ્ટમાં લખ્યું, “કોટા શ્રીનિવાસ ગારુના નિધનથી મારું હૃદય દુ:ખથી ભરેલું છે. એક અદ્ભુત અભિનેતા, એક અજોડ પ્રતિભા અને એક એવો માણસ જેની હાજરી દરેક ફ્રેમમાં ચમકતી હતી.

પછી ભલે તે ગંભીર ભૂમિકા હોય, ખલનાયક હોય કે કોમેડી,તેમણે દરેક પાત્રમાં એવી નિપુણતા લાવી જે બહુ ઓછા લોકોને મળે છે.”
વિષ્ણુએ આગળ કહ્યું, “મને ઘણી ફિલ્મોમાં તેમની સાથે કામ કરવાનો લહાવો મળ્યો અને હું તેમને ઘણી ફિલ્મોમાં જોઈને મોટો થયો છું. તેમના કામે સિનેમા પ્રત્યેના મારા પ્રેમને આકાર આપ્યો છે. તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. અમે ભલે તેમને શારીરિક રીતે ગુમાવ્યા હોય, પરંતુ તેમની કલા, તેમનું હાસ્ય અને તેમની ભાવના તેમણે ભજવેલા દરેક દ્રશ્યમાં જીવંત રહેશે. તમારી યાદ આવશે. તમને હંમેશા યાદ કરવામાં આવશે.”

Related posts

બોલિવૂડની આ 5 સુંદરીઓ જેણે પોતાનું બાળક ગુમાવ્યું, જાણો કોને કોને આ દુખ સહન કર્યું છે…

Ahmedabad Samay

એનિમલને ૧ કરોડ ૩૬ લાખ વ્‍યૂઝ મળ્‍યા છે, જ્‍યારે લાપતા લેડીઝના વ્‍યૂઝ ૧ કરોડ ૩૮ લાખ સુધી પહોંચી ગયા

Ahmedabad Samay

પબજી ગેમ્સ ના ચાહકો માટે ખુશીના સમાચાર

Ahmedabad Samay

૧૪ જાન્યુઆરીએ વિદ્યુત જામવાલ-શ્રુતિ હાસન અભિનીત ફિલ્મ પાવર રિલીઝ થશે

Ahmedabad Samay

બહુમુખી અભિનેત્રીઓમાંની એક એશા ગુપ્તા ધમાલ 4 થી કરશે કમબેક

Ahmedabad Samay

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત “માં વંદે” બાયોપિકની શૂટિંગ શરૂ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો