May 7, 2026
મનોરંજન

મિરઝાપુર ૦૩ માં મુન્ના ત્રિપાઠી ફરી દેખાશે

વેબ સિરીઝ મિરઝાપુરના બંને ભાગ દર્શકોને ખુબ ગમ્યા છે. હવે ત્રીજી સિરીઝ પણ બનશે એ ચોક્કસ છે. કારણ કે બીજી સિરીઝ જ્યાં ખતમ થાય છે ત્યાં કાલીનભૈયાના પાત્રને જીવીત રાખી દેવાયું છે. જો કે ચર્ચા છે કે મુન્ના ત્રિપાઠીનું પાત્ર પણ દર્શકોને ખુબ ગમ્યું હોઇઆ પાત્ર પણ સિઝન ત્રણમાં ફરીથી એન્ટ્રી કરી શકે તેમ છે. દિવ્યેન્દુ શર્માએ મુન્નાનું પાત્ર ભજવ્યું છે.

દિવ્યેન્દુએ જ જણાવ્યું હતું કે દુનિયામાં માત્ર બે ટકા લોકો જ એવા હોય છે જેનું દિલ જમણી તરફ હોય છે. સિરીઝમાં દેખાડાયુ છે કે મુન્નો પોતાને અમર ગણે છે. ગોલુ જ્યારે તેને ગોળી મારે છે ત્યારે ડાબી બાજુ પિસ્તોલ હોય છે. આ જોતાં મુન્ના ત્રિપાઠીને દિલમાં ગોળી નથી લાગી. આથી આ પાત્ર બચી જઇ શકે છે અને પાછુ ત્રીજી સિઝન બને તો તેમાં આવી શકે તેમ છે.

Related posts

OTT પ્લેટફોર્મ પર તમારા માટે આવી 8 નવી ફિલ્મો

Ahmedabad Samay

સાઉથ ફિલ્મોના જાણીતા અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું થયું નિધન

Ahmedabad Samay

રેખા પાસે અમિતાભ બચ્ચને આપેલી સાડીઓનું જબરદસ્ત કલેક્શન છે, જે જયાને ગમ્યું ન હતું

Ahmedabad Samay

ગીર જંગલ આધારિત ફિલ્મ સાસણ થઇ રિલીઝ

Ahmedabad Samay

લક્ષ્ય ફિલ્મ મારી સૌથી મુશ્કેલ ફિલ્મ હતી: પ્રીતિ ઝિન્ટા

Ahmedabad Samay

૧૦ સપ્ટેમ્બરે સૈફ અલી ખાન અને અર્જુન કપૂરની ભૂત પોલીસ થશે રિલીઝ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો