March 24, 2026
મનોરંજન

સાઉથ ફિલ્મોના જાણીતા અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું થયું નિધન

સાઉથ ફિલ્મોના જાણીતા અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું નિધન થયું છે. તેઓ છેલ્લા પાંચ દાયકાથી સિનેમામાં કામ કરી રહ્યા હતા. તેમણે મોટાભાગની ફિલ્મોમાં ખલનાયકનું પાત્ર ભજવીને દર્શકોના હૃદયમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. હવે તેમના જવાથી ફિલ્મ સ્ટાર્સ માટે મોટો આઘાત લાગ્યો છે.

કોટા શ્રીનિવાસ રાવે આજે રવિવારે હૈદરાબાદમાં 83 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. તેઓ ઉંમર સંબંધિત રોગોથી પીડાતા હતા. કોટાના જવાથી ફિલ્મ જગતને મોટો આઘાત લાગ્યો છે. ઘણા સ્ટાર્સે તેમના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે.


કન્નપ્પા સ્ટાર વિષ્ણુ મંચુએ કોટા શ્રીનિવાસના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ભાવનાત્મક પોસ્ટમાં લખ્યું, “કોટા શ્રીનિવાસ ગારુના નિધનથી મારું હૃદય દુ:ખથી ભરેલું છે. એક અદ્ભુત અભિનેતા, એક અજોડ પ્રતિભા અને એક એવો માણસ જેની હાજરી દરેક ફ્રેમમાં ચમકતી હતી.

પછી ભલે તે ગંભીર ભૂમિકા હોય, ખલનાયક હોય કે કોમેડી,તેમણે દરેક પાત્રમાં એવી નિપુણતા લાવી જે બહુ ઓછા લોકોને મળે છે.”
વિષ્ણુએ આગળ કહ્યું, “મને ઘણી ફિલ્મોમાં તેમની સાથે કામ કરવાનો લહાવો મળ્યો અને હું તેમને ઘણી ફિલ્મોમાં જોઈને મોટો થયો છું. તેમના કામે સિનેમા પ્રત્યેના મારા પ્રેમને આકાર આપ્યો છે. તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. અમે ભલે તેમને શારીરિક રીતે ગુમાવ્યા હોય, પરંતુ તેમની કલા, તેમનું હાસ્ય અને તેમની ભાવના તેમણે ભજવેલા દરેક દ્રશ્યમાં જીવંત રહેશે. તમારી યાદ આવશે. તમને હંમેશા યાદ કરવામાં આવશે.”

Related posts

અક્ષયકુમાર ‘મિશન સિન્ડ્રેલા’ ફરી દેખાશે પોલીસ ઓફિસરના અંદાજમાં

Ahmedabad Samay

રોકી ઔર રાની કી પ્રેમ કહાની ત્રીજા દિવસે ઝડપી, ફિલ્મે જીતી લીધા ચાહકોના દિલ

Ahmedabad Samay

ક્રિકેટ પર આધારિત ફિલ્મ ’83’ને દિલ્હીમાં ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી

Ahmedabad Samay

સિલસિલાના શૂટિંગ પહેલાં જ્યારે ડિરેક્ટરના હાથ-પગ ફૂલી ગયા હતા, તો જયા-રેખાને ગડબડ ન કરવાની સૂચના આપી હતી….

Ahmedabad Samay

ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર

Ahmedabad Samay

૧૪ જાન્યુઆરીએ વિદ્યુત જામવાલ-શ્રુતિ હાસન અભિનીત ફિલ્મ પાવર રિલીઝ થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો