સોમનાથ મંદિર ઉપરાંત પર્યટકોને આકર્ષવા માટે ઇકોલોજી કમિશન તથા વન અને પર્યાવરણ વિભાગ તરફથી આગામી દિવસોમાં કાચની ટનલમાંથી દરિયાઇ જીવસુષ્ટિ જોઇ શકે તે માટેનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તેના માટે સોમનાથ મંદિર ટ્રસ્ટ તરફથી સોમનાથ મંદિર તથા વેરાવળ પોર્ટ વચ્ચેની 40 હજાર મીટર જમીન પ્રભાસ પાટણ જિલ્લા કલેકટરને ફાળવણી કરી છે.
સોમનાથના ત્રિવેણી ઘાટને છેક નરસિંહ ઘાટ સુધી રળિયામણો બનાવવા સાથે સામાકાંઠે પણ રામેશ્વર મંદિરથી સંત કુટીર સુધી ઘાટ બનાવડાવી તે વિસ્તાર નજીકના લાટી, કદવાર, સૂત્રાપાડાના લોકો પણ ત્રિવેણી સ્ન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે.
કાચની દરિયાઇ ટનલમાં જઇ પર્યટકો એકવેરિયમની જેમ સોમનાથના દરિયામાં રહેલી જીવસુષ્ટિને નિહાળી શકે તે માટેનો આ પ્રોજેક્ટ છે.
