રક્ષામંત્રી રાજનાથ સિંહે રવિવારે સીડીએસ જનરલ બિપિન રાવત અને ત્રણેય સેનાઓના પ્રમુખો સથે લદ્દાખમાં સ્થિતિ પર ઉચ્ચ સ્તરીય બેઠક કરી. સૂત્રોના અનુસાર રક્ષામંત્રીએ બેઠકમાં જણાવ્યું કે સશસ્ત્ર બળોને વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનની સેનાને કોઇપણ પ્રકારના આક્રમક વલણ સામનો કરવા માટે પુરી સ્વતંત્રતા આપવામાં આવી છે. ચીનને અડીને આવેલી સીમાની રક્ષા માટે ભારતથી અલગ સામરિક રીત અપનાવશે. ભારતીય બળોને પૂર્વી લદ્દાખ અને અન્ય સેક્ટરોમાં ચીનના કોઇપણ દુસાહસનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ
