November 17, 2025
ધર્મ

સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીનું મંદિર દિવાળીના પાવન અવસર પર ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું

સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીનું મંદિર દિવાળીના પાવન અવસર પર ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે. ભગવાન શામળિયાના આ પ્રાચીન મંદિરને રંગબેરંગી લાઇટ્સની માળા અને વિશેષ પ્રકાશ વ્યવસ્થાથી એવું સુશોભિત કરવામાં આવ્યું છે કે રાત્રિના સમયે તેની દિવ્યતા અદ્ભુત રીતે નિખરી ઉઠે છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

મંદિરના શિખરો, ગુંબજો અને સમગ્ર પરિસરને પ્રકાશના પર્વને અનુરૂપ ભવ્ય રોશનીથી ઝગમગાવી દેવામાં આવ્યું છે. મંદિરની આસપાસની જગ્યા અને પ્રવેશદ્વાર પર પણ દીવડાઓ અને ઇલેક્ટ્રિક લાઇટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જે વાતાવરણમાં એક અનેરો ઉમંગ અને આધ્યાત્મિક શાંતિ પ્રસરાવે છે. દિવાળીના દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે.

ભક્તો માત્ર ભગવાનના દર્શન જ નહીં પરંતુ મંદિરની આસપાસ કરવામાં આવેલા રોશનીના ભવ્ય શણગારની મજા પણ માણી રહ્યા છે. આ દિવ્ય પ્રકાશ વ્યવસ્થા ભક્તોને શાંતિપૂર્ણ અને આનંદદાયક અનુભવ પ્રદાન કરે છે. જે દિવાળીના ઉત્સવને વધુ યાદગાર બનાવે છે

Related posts

જાણો આ વર્ષના પ્રથમ સૂર્યગ્રહણની અસર કોણે કેવી રીતે થશે, આ રાશિના માટે છે લાભદાયક

Ahmedabad Samay

રાખડીની થાળીમાં રાખો આ 5 વસ્તુઓ, ભાઈ-બહેનના સંબંધો બનશે મજબૂત, જાણો તેનું મહત્ત્વ

Ahmedabad Samay

કાલે છે મહાશિવરાત્રી, મહાશિવરાત્રીએ આ સમયે પૂજા કરશો તો થઇ જશો ધન્ય. શિવજીની કૃપા વરસા થશે.

Ahmedabad Samay

વર્ષનો પહેલો સૂર્યગ્રહણ દેખાશે ૧૦ જૂને

Ahmedabad Samay

આજે શનિ અમાવસ્યનો દિવસ,શનિ દોષ, સદેસતી અથવા ધૈયાથી પીડિત લોકો માટે આ દિવસ શુભ

Ahmedabad Samay

૨૧ જૂને આવી રહી છે નિર્જળા એકાદશી, જાણો તેની મહિમા, પૂજા વિધિ જાણીતા જ્યોતિષ શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો