December 12, 2025
મોદી
દેશરાજકારણ

બિહાર બાદ મોદી નું નેક્સ્ટ ટાર્ગેટ બંગાળ

પ્રધાન નરેન્‍દ્ર મોદીએ કહ્યું કે બિહારમાં મળેલા જબરદસ્‍ત વિજયે તોફાન મચાવ્‍યું છે. તેમણે કહ્યું કે કેટલીક પાર્ટીઓએ માય તુષ્ટિકરણ ફોર્મ્‍યુલા ઘડી હતી, પરંતુ આ જીતના નવા માય તુષ્ટિકરણ ફોર્મ્‍યુલાએ સ્‍થિતિ બદલી નાખી છે.

પીએમ મોદીએ કહ્યું કે ગંગા બિહારથી બંગાળ તરફ વહે છે… બિહારે બંગાળમાં ભાજપની જીતનો માર્ગ મોકળો કર્યો છે. અમે બંગાળમાંથી પણ જંગલરાજ દૂર કરીશું.

પીએમ મોદીએ આગળ કહ્યું, હું બંગાળના ભાઈઓ અને બહેનોને પણ અભિનંદન આપું છું. હવે, તમારી સાથે મળીને, ભાજપ પヘમિ બંગાળમાંથી પણ જંગલરાજને ઉખેડી નાખશે. ૨૦૨૬ માં પヘમિ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓ થવાની છે.

વડાપ્રધાનએ વધુમાં જણાવ્‍યું હતું કે બિહારની જીતથી કેરળ, તમિલનાડુ, પુડુચેરી, આસામ અને પヘમિ બંગાળમાં ભાજપના કાર્યકરોમાં ઉત્‍સાહ ફેલાયો છે. અને હા, જેમ ગંગા બિહારથી બંગાળ તરફ વહે છે, તેમ બિહારે બંગાળમાં ભાજપની જીતનો માર્ગ મોકળો કર્યો છે.

પક્ષે કહ્યું કે આ દાવો માત્ર ગેરમાન્‍યતૉ નથી, પરંતુ ૨૦૨૬ ની ચૂંટણીઓ મમતા બેનર્જીને ચોથી મુદત માટે સત્તામાં લાવશે. તેમાં એમ પણ કહેવામાં આવ્‍યું છે કે મમતા બેનર્જી ભારતીય ગઠબંધનના સૌથી મજબૂત નેતા છે અને તેમને રાષ્ટ્રીય ચહેરો બનાવવો જોઈએ.

ટીએમસીના પ્રવક્‍તા કુણાલ ઘોષે વડા પ્રધાન મોદીના આ નિવેદન પર તીવ્ર પ્રતિક્રિયા આપી હતી કે જેમ ગંગા બિહારથી બંગાળ તરફ વહે છે, તેવી જ રીતે ભાજપની જીત પણ થશે. ઘોષે આને રાજકીય રસાયણશાષાની ખોટી ગણતરી ગણાવી.

તેમણે કહ્યું કે બંગાળના લોકોએ ભાજપની નફરતની રાજનીતિને વારંવાર નકારી કાઢી છે, અને ૨૦૨૬ માં આ પુનરાવર્તન થશે. ઘોષે કહ્યું કે બંગાળ આજે દેશના સૌથી સુરક્ષિત રાજ્‍યોમાંનું એક છે. ભાજપ શાસિત ઉત્તર પ્રદેશમાં ઉન્નાવ, હાથરસ અને પ્રયાગરાજ જેવા કિસ્‍સાઓએ સાબિત કર્યું છે કે વાસ્‍તવિક જંગલ રાજ ક્‍યાં છે

Related posts

મંત્રીમંડળની શપથવિધિ આજે થઇ સ્થગિત. હવે આવતીકાલે થશે શપથવિધિ

Ahmedabad Samay

રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમા પોતાની તમામ ચૂંટણી સભાઓ રદ્‌ કરી

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેમના ૭૫મા જન્મદિવસ પર દેશ અને દુનિયાભરમાંથી મળી શુભેચ્છા

Ahmedabad Samay

બ્લાસ્ટની ઘટના પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિતના રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો

Ahmedabad Samay

મણિપુર સરકારે મીરાબાઈ ચાનુને મણિપુર માં એડિશનલ એસ.પી બનાવી.

Ahmedabad Samay

હિજાબ મામલે કોર્ટે આપ્યો ચુકાદો,સ્‍કુલ યુનિફોર્મ લાગુ થવો એ યોગ્‍ય છે, જેના પર વિદ્યાર્થી મનાઇ કરી શકે નહિ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો