May 10, 2026
ગુજરાતરાજકારણ

રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુંર્મૂએ નવા ગુજરાત વિધાનસભાનું લોકાર્પણ કર્યું

 

આજે વિધાનસભા ગૃહમાં પ્રથમ વખત અધ્‍યક્ષના સામે લોકસભાના સાંસદો અને રાજ્‍યસભાના સાંસદો તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખને બેસવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

સી.આર. પાટીલ, શકિતસિંહ ગોહિલ, પરબતભાઇ પટેલ, અર્જુનભાઇ મોઢવાડિયા તેમજ બંને પક્ષના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. પૂર્વ નાયબ મુખ્‍યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા

આજે સમયસર ૧૦ વાગ્‍યે રાષ્‍ટ્રપતિનું આગમન થયું ત્‍યારે રાષ્‍ટ્રગીત બેન્‍ડ સાથે વગાડી સ્‍વાગત કરવામાં આવ્‍યું. આ સમયે ગૃહમાં ઉપસ્‍થિત સૌ લોકોએ સ્‍વાગત કર્યું હતું.

વિધાનસભાના અધ્‍યક્ષે રાષ્‍ટ્રપતિ, મુખ્‍યમંત્રીશ્રી, શકિતસિંહ ગોહિલનું શબ્‍દોથી સ્‍વાગત કર્યું હતું. આ સમયે મહાત્‍મા ગાંધી, સરદાર પટેલ વગેરેને યાદ કર્યા હતા. ગુજરાતનું ગૌરવ છે કે ‘પેપરલેસ’ વિધાનસભામાં રાષ્‍ટ્રપતિના હસ્‍તે ખુલ્લુ મુકવામાં આવ્‍યું. આ પેપરલેસથી ૨૫ ટન કાગળનો બચાવ થશે.

ગૃહના સૌ સભ્‍યોને બે આઇપેડ આપવામાં આવ્‍યા છે. એક પેડ સભ્‍યો પાસે રહેશે. એક પેડ વિધાનસભા વહીવટી તંત્ર પાસે રહેશે. રાષ્‍ટ્રપતિ ઓરિસ્‍સાના નાના ગામથી રાષ્‍ટ્રપતિ સુધીની સફર કરી તેને બિરદાવી હતી. ઉપરાંત ગુજરાતના વિકાસની ગાથા કહી હતી. મુખ્‍યમંત્રીના શાસનકાળએ આજે બે વર્ષ પૂર્ણ કર્યા છે.

રાજ્‍યના મુખ્‍યમંત્રીએ પુષ્‍પગુચ્‍છથી રાષ્‍ટ્રપતિનું સ્‍વાગત કર્યું ત્‍યારબાદ વિધાનસભા અધ્‍યક્ષે સ્‍વાગત કર્યું હતું. વિધાનસભા ભાજપ પક્ષના દંડક બાલકૃષ્‍ણ શુકલ, ઉપાધ્‍યક્ષ જેઠાભાઇ ભરવાડ, શૈલેષ પરમારને સંસદીય મંત્રીનું સ્‍વાગત કરવા જણાવ્‍યું પરંતુ શૈલેષ પરમારે સ્‍વાગત કરવાની ના પાડી હતી.

 

મુખ્‍યમંત્રીશ્રીએ આજના દિવસને ખૂબ અગત્‍યનો દિવસ ગણાવતા જણાવ્‍યું કે, આ પેપરલેસ વિધાનસભામાં રાષ્‍ટ્રપતિ ઉપસ્‍થિત છે તે ખૂબ જ મહત્‍વની બાબત છે. ગુજરાતના કેટલાય મહાપુરૂષોએ દેશને પોતાની સેવાઓ આપી તે પણ ગુજરાતનું ગૌરવ છે. વડાપ્રધાન સુધી પહોંચવામાં સૌ પ્રથમ તેઓ ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે આ ગૃહથી શરૂઆત કરી હતી. દેશમાં ગુજરાતએ ગૌરવ ધરાવતું રાજ્‍ય છે. દિવસે અને દિવસે વિકાસ ચાલી રહ્યો છે તે વાત પણ દહોરાવી હતી. સત્રના પ્રારંભે સ્‍પીકર શ્રી શંકર ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

Related posts

રામ મંદિરનો વિરોધ કરનાર હવે સંસદ ભવનનો વિરોધ કરે છે – ગૃહમંત્રી હર્ષ સંઘવી

admin

ગુજરાત યુનિવર્સિટી માનહાની કેસ મામલે સીએમ કેજરીવાલ સુપ્રીમકોર્ટમાં જાય તેવી શક્યતા, જાણો શું છે મામલો

Ahmedabad Samay

ચૂંટણી અધિકારી અને ઉદય કાનગડ વિરૂધ્ધ ચૂંટણીપંચમાં ફરિયાદ દાખલ કરીશ: રેશ્મા પટેલ

Ahmedabad Samay

શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, પ્રાથમિક શાળાઓમાં ‘બેગલેસ ડે’ની શરૂઆત કરાઇ

Ahmedabad Samay

જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કુલ દ્વારા આયોજિત આ તિરંગા યાત્રામાં શાળાની વિદ્યાર્થીનીઓએ શહેરમાં સૌપ્રથમવાર ૧૫૫૧ ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા યોજી

Ahmedabad Samay

મનનાં વિચારો થી પણ કોરોનાને હરાવી શકોછો : વિજય કોતાપકર(મોટિવેશન સ્પીકર)

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો