ઈન્ડિગોનું ઓપરેશનલ સંકટ યથાવત, ઇન્ડિગોની આવતીકાલે પણ ૧,૦૦૦ આસપાસની ફ્લાઇટસ કેન્સલ થવાની આશંકા વ્યક્ત કરાઈ, મુસાફરોને વધુ રાહ જોવી પડશે : એરલાઇને ૧૫ ડિસેમ્બર પછી, સંભવતઃ તમામ ફ્લાઇટ ઓપરેશન્સ સંપૂર્ણપણે સામાન્ય થવાની ખાતરી આપી ,
ઇન્ડિગો એરલાઇનની કામગીરીમાં સર્જાયેલી અંધાધૂંધી વચ્ચે, એરલાઇને મુસાફરોને મોટી રાહત આપતી જાહેરાત કરી છે. ઇન્ડિગોએ જણાવ્યું છે કે ૫ ડિસેમ્બરથી ૧૫ ડિસેમ્બર વચ્ચે જે મુસાફરોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, તેમને આપમેળે સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. આ માટે મુસાફરોએ કોઈ સત્તાવાર વિનંતી સબમિટ કરવાની જરૂર રહેશે નહીં. એરલાઇને ટિકિટ રદ કરવા અથવા ફરીથી શેડ્યૂલ કરવા માટેની ફી પણ માફ કરી દીધી છે.
