રાજ્યના વિવિધ એરપોર્ટ્સ પર ફ્લાઇટ રદ થવાની પરિસ્થિતિ સતત ગંભીર બની રહી છે, જેમાં આજે અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની કુલ 86 ફ્લાઇટ રદ થઈ છે, જેમાં અમદાવાદ આવતી 50 અને અહીંથી પ્રસ્થાન કરતી 36 ફ્લાઇટનો સમાવેશ થાય છે. અચાનક થયેલી ફ્લાઇટ કેન્સલેશનથી એરપોર્ટ પર પહોંચેલા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે અને યોગ્ય માહિતી ન મળતાં મુસાફરોમાં આક્ષેપો પણ ઉઠ્યા છે.
બીજી તરફ, સુરત એરપોર્ટ પર સતત ત્રીજા દિવસે અનેક ફ્લાઇટ રદ થઈ છે, જેમાં બેંગલુરુ-સુરત, સુરત-ગોવા અને સુરત-પુણેની ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. વડોદરા એરપોર્ટ પર પણ સ્થિતિ ગંભીર છે, જ્યાં દિલ્હી, મુંબઈ, પુણે અને હૈદરાબાદ જતી અનેક ફ્લાઇટ રદ થવાનો ક્રમ ચાલુ છે અને છેલ્લા 10 દિવસમાં લગભગ 17 જેટલી ફ્લાઈટ કેન્સલ થઈ છે.
રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સ્થિતિ પણ ભિન્ન નથી, ત્યાં ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા ઓપરેટ થતી 8 ફ્લાઇટ રદ થતાં મુસાફરોને ભારે અવરજવરનો સામનો કરવો પડી રહ્યો
