March 23, 2026
દુનિયાદેશ

અમેરિકાના વિદેશ મંત્રાલયે 75 દેશોમાંથી આવતી વિઝા અરજીઓની કામગીરી સંપૂર્ણપણે અટકાવી

અમેરિકાના વિદેશ મંત્રાલયે (સ્ટેટ ડિપાર્ટમેન્ટ) 75 દેશોમાંથી આવતી વિઝા અરજીઓની કામગીરી સંપૂર્ણપણે અટકાવી દીધી છે. આ દેશોમાં રશિયા, અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક, નાઈજીરિયા અને બ્રાઝિલ જેવા દેશોનો સમાવેશ થાય છે. ટ્રમ્પ સરકારનો તર્ક છે કે, આ પગલા પાછળનું મુખ્ય કારણ એવા અરજદારો પર નજર રાખવાનું છે, જેમના અમેરિકામાં ‘પબ્લિક ચાર્જ’ (સરકારી સહાય પર નિર્ભર) બનવાની સંભાવના વધુ છે. આ પ્રતિબંધો 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યા છે અને તે અનિશ્ચિતકાળ સુધી અમલમાં રહેશે.

વિદેશ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા એક મેમો અનુસાર, આ પગલું એવા અરજદારો માટે લેવાયું છે જેમના ભવિષ્યમાં સરકારી સહાયતા પર નિર્ભર થવાની શક્યતા જણાય છે. વિભાગ હવે વિઝા સ્ક્રીનિંગ અને તપાસની પ્રક્રિયાઓનું પુન:મૂલ્યાંકન કરશે. આ પ્રતિબંધ ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી નવી સુરક્ષા પ્રક્રિયાઓ પૂર્ણ ન થઈ જાય. વિદેશ વિભાગના પ્રવક્તા ટૉમી પિગૉટના જણાવ્યા અનુસાર, અમેરિકા પોતાની સત્તાનો ઉપયોગ એવા લોકોને અટકાવવા માટે કરશે જે અમેરિકી જનતાના ટેક્સના પૈસાનો ફાયદો ઉઠાવીને વેલફેર (કલ્યાણકારી યોજનાઓ) પર નિર્ભર થઈ જાય છે.
ટ્રમ્પ પ્રશાસન દ્વારા જે દેશોના નાગરિકોની એન્ટ્રી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તેમાં સોમાલિયા, રશિયા, અફઘાનિસ્તાન, બ્રાઝિલ, ઈરાન, ઈરાક, ઈજિપ્ત, નાઈજીરિયા, થાઈલેન્ડ, યમન અને અન્ય દેશોનો સમાવેશ થાય છે. તંત્રનું કહેવું છે કે, સોમાલિયા ખાસ કરીને અમેરિકી અધિકારીઓની નજરમાં છે.

મિનેસોટામાં સામે આવેલા એક મોટા કૌભાંડ બાદ આ કડકાઈ વધારવામાં આવી છે, જ્યાં ટેક્સપેયર્સના પૈસાથી ચાલતા બેનિફિટ પ્રોગ્રામ્સનો મોટા પાયે દુરુપયોગ થયાનું બહાર આવ્યું હતું. ફેડરલ તપાસમાં સામે આવ્યું છે કે, હજારો લોકો નકલી દસ્તાવેજો દ્વારા સરકારી સહાય મેળવી રહ્યા હતા.

Related posts

મોરોક્કોમાં શુક્રવારે રાત્રે આવેલા ભયાનક ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૦૩૭ લોકોના મોત થયા

Ahmedabad Samay

હવે ગ્રાહક IMPS દ્વારા એક દિવસમાં બે લાખના બદલે પાંચ લાખ લેણદેણ કરી શકશે

Ahmedabad Samay

ભારત-ઓસી. વન-ડે, ટી૨૦ની તમામ ટિકિટનું કોરોનાના ભય છતાં ૩૦ મિનિટની અંદર ટિકિટોનું વેચાણ

Ahmedabad Samay

T 20 વોર્મ-અપ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

Ahmedabad Samay

અમરનાથ યાત્રા રૂટ પર ઘણી જગ્યાએ થયું ભૂસ્ખલન. બાલતાલ રૂટ પર ભૂસ્ખલનને કારણે ૧૦ યાત્રાળુઓ ઘાયલ

Ahmedabad Samay

યુપીના ૨૭ જિલ્લાઓમાં ૧૧૪૦ કિ.મી.ના દાયરામાં ૨૦૦૦થી વધુ મૃતદેહો ગંગા નદીએ મળી આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો