March 10, 2026
દેશ

દૂરદર્શન ન્‍યૂઝ ના પ્રખ્યાત મહિલા એન્‍કર સરલા મહેશ્વરીનું દિલ્‍હી ખાતે અવસાન

અને ૧૯૯૦ ના દાયકામાં દૂરદર્શનના સમાચાર પ્રસારણના પરિચિત ચહેરાઓમાંના એક તરીકે વ્‍યાપકપણે યાદ કરાયેલા પીઢ દૂરદર્શન ન્‍યૂઝ એન્‍કર સરલા મહેશ્વરીનું દિલ્‍હી ખાતે અવસાન થયું છે. પરિવારના પત્રમાં જણાવાયું છે કે અંતિમ સંસ્‍કાર ૧૨ ફેબ્રુઆરીના રોજ સાંજે ૪ વાગ્‍યે દિલ્‍હીના નિગમ બોધ ઘાટ ખાતે કરવામાં આવશે. ૨૪૭ પહેલાના ટેલિવિઝન યુગમાં, જ્‍યારે દૂરદર્શન દેશનું પ્રબળ પ્રસારણ પ્‍લેટફોર્મ હતું ત્‍યારે મહેશ્વરી દૂરદર્શનના ન્‍યૂઝ બુલેટિનના પરિચિત ચહેરાઓમાંના એક હતા. તેમણે ૧૯૭૬થી ૨૦૦૫ સુધી દૂરદર્શન ન્‍યૂઝ એન્‍કર તરીકે સેવા આપી હતી અને જ્‍યારે દૂરદર્શન દેશનું પ્રબળ ટેલિવિઝન ન્‍યૂઝ પ્‍લેટફોર્મ હતું ત્‍યારે દર્શકો માટે એક ઓળખીતો અવાજ અને ચહેરો બન્‍યા હતા.

સરલા મહેશ્વરીએ દિલ્‍હી યુનિવર્સિટીમાં પીએચડી કરતી વખતે દૂરદર્શન માટે ઓડિશન આપ્‍યા પછી ઉદ્ધોષક તરીકે શરૂઆત કરી અને પછીથી સમાચાર વાંચનમાં ઝંપલાવ્‍યું જ્‍યાં તેઓ બ્‍લેક એન્‍ડ વ્‍હાઇટ થી રંગીન ટેલિવિઝન તરફના સંક્રમણની સાક્ષી બન્‍યા હતા. દૂરદર્શનના ન્‍યૂઝ બુલેટિન જોઈને મોટા થયેલા સાથીદારો અને દર્શકો દ્વારા શોક અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં ઘણા લોકો મહેશ્વરીની સાદગી અને સ્‍ક્રીન પરની સુંદરતાને તે સમયગાળાના મુખ્‍ય લક્ષણો તરીકે યાદ કરે છે.

તેમણે ઓક્‍ટોબર ૧૯૮૬માં બીબીસી (ઇંગ્‍લેન્‍ડ)માંથી રાજીનામું આપ્‍યું અને દૂરદર્શન સાથે જોડાયા જ્‍યાં સુદિર્ઘ સેવા આપી તેમણે ૨૦૦૫માં દૂરદર્શનમાંથી પણ રાજીનામું આપ્‍યું હતું. સરલાજીએ દિલ્‍હી યુનિવર્સિટીમાંથી હિન્‍દીમાં એમ.એ.અને  દિલ્‍હી યુનિવર્સિટીમાંથી પીએચડની ડિગ્રી મેળવી હતી. ૧૯૮૪માં તેમના ગેસ્‍ટ્રોએન્‍ટ્રોલોજીસ્‍ટ ડો. પવન મહેશ્વરી સાથે લગ્ન થયા. સરલાજીને ન્‍યુઝ એન્‍કરીંગ સાથે રસોઇનો પણ ખુબ શોખ હતો. તેમના પુત્ર ડો. કવિશ મહેશ્વરી જેઓ પ્‍લાસ્‍ટીક સર્જન છે અને હિમાંશુ મહેશ્વરી છે.

સરલા મહેશ્વરી દૂરદર્શનના ભૂતપૂર્વ ભારતીય ન્‍યૂઝરીડર હતા જેઓ સમાચાર વાંચવાની શૈલી અને સરળતા માટે પ્રખ્‍યાત હતા. બ્‍લેક એન્‍ડ વ્‍હાઇટ ટીવીના યુગમાં પ્રથમ રંગીન ટેલિકાસ્‍ટનું એન્‍કરિંગ કરીને તેમણે ઇતિહાસ રચ્‍યો હતો. ૧૯૭૬માં, તેમણે દિલ્‍હી યુનિવર્સિટીમાં પીએચડી કરતી વખતે દૂરદર્શનમાં ઉદ્ધોષકની નોકરી માટે ઓડિશન આપ્‍યું. તેમણે  ‘‘કપડે કી કહાની”  અને જન્‍માષ્ટમી જેવા બાળકોના કાર્યક્રમો માટે સ્‍ક્રિપ્‍ટ રાઇટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

ટેલિવિઝન પર ઉદ્ધોષક તરીકે કામ કર્યું હતું. ઉદ્ધોષક તરીકે જોડાયા પછી પણ તેઓ દિલ્‍હી યુનિવર્સિટીમાં પણ ભણાવતા હતા. સવારે યુનિવર્સિટી અને સાંજે દૂરદર્શન જતા હતા. ડીડીના શિખર વર્ષો દરમિયાન તે રાષ્‍ટ્રીય સમાચાર બુલેટિનનો નિયમિત ચહેરો બની ગયા.

તેમની સમાચાર વાંચવાની શૈલી શાંત, માપદંડવાળી અને ઔપચારિક હતી જે તે યુગની ઓળખ હતી. ખાનગી ન્‍યૂઝ ચેનલોના આગમન પહેલા તે દર્શકો માટે એક ઓળખી શકાય તેવો અવાજ રહ્યા હતા.

Related posts

ચૂંટણીની જાહેર થયા બાદ પહેલીવાર પીએમ મોદી બંગાળમાં રેલી કરી મિથુન ચક્રવર્તી  મંચ પર જ ભાજપમાં જોડાઈ જતા રાજનીતિક ગરમાવો વધ્યો

Ahmedabad Samay

નાગરિકતા સંશોધન (CAA)કાયદો માર્ચથી લાગુ

Ahmedabad Samay

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને પગલે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે આદરણીય તીર્થસ્થાનની યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરી

Ahmedabad Samay

ભારત સરકાર દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના નિયમોમાં કર્યા મોટા ફેરફાર, ૦૧ એપ્રિલથી થશે નિયમો લાગુ

Ahmedabad Samay

હોકી ટીમ ઓલિમ્પિકમાં ચંદ્રક માટે ટોચની દાવેદાર: તુષાર ખાંડેકર

Ahmedabad Samay

રિકાઉન્ટમાં દીદી ૧૨૦૦ મતથી વિજય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો