દેશ ભરમાં અયોધ્યામાં શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવા અર્થે દેશભરમાં શ્રી રામ જન્મ ભૂમિ સમર્પણ નિધિ દ્વારા ઘરે ઘરે જઈને એક એક હિન્દુ દ્વારા દાન લઇ મંદિરના નિર્માણમાં સહભાગી થાય તે અર્થે મુહિમ ચલાવવામાં આવી રહી તે દરમિયાન આ મુહિમમાં જોડાયેલા અને ઘરે ઘરે સહભાગ લેતા ભક્તોને ઘણા બધા સારા અનુભવો પણ થાય છે.
સારા અનુભવો માંથી રાજસ્થાનના જોધપુરમાં એક કિસ્સો સામે આવ્યો છે કે રામ ભક્તો મંદિરના કાર્ય માટે સહભાગ લેવા ગયા ત્યારે બે ૯૫ વર્ષીય વૃદ્ધ માતાઓ શ્રી કમલાજી અને કૌશલ્યાજી એ એમની જમા કરેલી પેન્શનની પુનજી રામ ભક્તોને આપી અને રામ મંદિર બનાવવા માટે પોતાનો ફાળો આપ્યો અને હિન્દુ ધર્મ પ્રતેયની લાગણી અને રામ ભગવાન ના મંદિરના નિર્માણ માટેની લાગણી વ્યક્ત કરી હતી.
