March 25, 2026
ગુજરાત

અમદાવાદમાં હાટકેશ્વર બ્રીજ મામલે સેશન્સ કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવી

બ્રિજ બનાવનાર અને કેસના 4 આરોપીઓએ જામીન અરજી કરી હતી. મેટ્રો પોલીટન કોર્ટે તમામ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે.

બ્રિજમાં ક્ષતીઓ જણાતા ગાબડાઓ પડી જવા તેમજ બ્રિજની મજબૂતાઈને લઈને અનેક સવાલો ઉભા થયા છે. કેમ કે, હલકી ગુણવત્તાના મટીરીયલના  ઉપયોગના કારણે થોડા જ સમયમાં બ્રિજ બંધ કરવો પડ્યો છે. કરોડોના ખર્ચ બાદ આ સ્થિતિ નિર્માણ થતા ભ્રષ્ટાચારના આરોપો છે. આ સાથે ફરીયાદ કરવામાં આવતા તાજેતરમાં જ આરોપીએ પોલીસ સ્ટેશનમાં હાજર પણ થયા હતા.

અગાઉ પણ તમામ આરોપીઓએ આગોતરા જામીન અરજી કરી હતી. અગાઉ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન મામલે અરજી કરાઈ હતી પરંતુ કેસની ગંભીરતાને જોતા સુપ્રીમ કોર્ટે પણ અરજી ફગાવી દીધી છે. આરોપીઓના જામીન ફગાવીને આરોપીઓને જેસી એટલે કે, જ્યુડિસિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.

સિમેન્ટ અને તમામ મટિરીયલ ખરાબ ગુણવત્તાનું વાપર્યું હોવાના કારણે અમદાવાદનો આ બ્રિજ અત્યારે નકામો બન્યો છે. ત્યારે આ વિવાદીત બ્રિજ મામલે અગાઉ સુપ્રીમ કોર્ટે પણ જામીન અરજી ફગાવી છે.
ભ્રષ્ટાચારા સામે આવતા કોર્પોરેશન તરફથી 9 લોકો સામે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. અમદાવાદ હાટકેશ્વર બ્રિજના નબળા બાંધકામના વિવાદના કારણે એજન્સીના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હવે અમદાવાદમાં હાટકેશ્વર બ્રીજ મામલે સેશન્સ કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે.

Related posts

રેલ્‍વે મંત્રાલયે ટ્રેન ટિકિટ ભાડામાં વધારા અંગે ઔપચારિક સૂચના જારી કરી,નવા ભાડા આજથી અમલમાં આવશે.

Ahmedabad Samay

નરેશ કનોડિયાના નિધન પર મુખ્યમંત્રી રૂપાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત સંસ્થા અને ગુજરાત એક્સ પેરામિલિટરી અસોસિએશન સંસ્થા દ્વારા પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

ગુજરાતમાં પ્રવાસે આવેલા વિદેશ મંત્રીએ નવી સંસદના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાના વિપક્ષોના નિર્ણયને લઈને કહી આ વાત

Ahmedabad Samay

શારદાબેન હોસ્પિટલના તંત્રની માનવતા મરી,કોરોના પોઝિટિવ દીકરાને લઈ ‘ માં ‘ હોસ્પિટલની બહાર રસ્તા પર બેઠી

Ahmedabad Samay

સુરતમાં બાળકી પર દુષ્કર્મ અને હત્યાના આરોપી ગુડડુ યાદવને ફાસીની સજા ફટકારી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો