February 5, 2026
ગુજરાત

અમદાવાદમાં હાટકેશ્વર બ્રીજ મામલે સેશન્સ કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવી

બ્રિજ બનાવનાર અને કેસના 4 આરોપીઓએ જામીન અરજી કરી હતી. મેટ્રો પોલીટન કોર્ટે તમામ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે.

બ્રિજમાં ક્ષતીઓ જણાતા ગાબડાઓ પડી જવા તેમજ બ્રિજની મજબૂતાઈને લઈને અનેક સવાલો ઉભા થયા છે. કેમ કે, હલકી ગુણવત્તાના મટીરીયલના  ઉપયોગના કારણે થોડા જ સમયમાં બ્રિજ બંધ કરવો પડ્યો છે. કરોડોના ખર્ચ બાદ આ સ્થિતિ નિર્માણ થતા ભ્રષ્ટાચારના આરોપો છે. આ સાથે ફરીયાદ કરવામાં આવતા તાજેતરમાં જ આરોપીએ પોલીસ સ્ટેશનમાં હાજર પણ થયા હતા.

અગાઉ પણ તમામ આરોપીઓએ આગોતરા જામીન અરજી કરી હતી. અગાઉ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન મામલે અરજી કરાઈ હતી પરંતુ કેસની ગંભીરતાને જોતા સુપ્રીમ કોર્ટે પણ અરજી ફગાવી દીધી છે. આરોપીઓના જામીન ફગાવીને આરોપીઓને જેસી એટલે કે, જ્યુડિસિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.

સિમેન્ટ અને તમામ મટિરીયલ ખરાબ ગુણવત્તાનું વાપર્યું હોવાના કારણે અમદાવાદનો આ બ્રિજ અત્યારે નકામો બન્યો છે. ત્યારે આ વિવાદીત બ્રિજ મામલે અગાઉ સુપ્રીમ કોર્ટે પણ જામીન અરજી ફગાવી છે.
ભ્રષ્ટાચારા સામે આવતા કોર્પોરેશન તરફથી 9 લોકો સામે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. અમદાવાદ હાટકેશ્વર બ્રિજના નબળા બાંધકામના વિવાદના કારણે એજન્સીના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હવે અમદાવાદમાં હાટકેશ્વર બ્રીજ મામલે સેશન્સ કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે.

Related posts

ત્રીજી સંભવિત લહેરને લઈને તંત્રની સાથે સ્મશાન ગૃહો પણ તૈયાર

Ahmedabad Samay

એરપોર્ટ ઇન હોટલની બહુ ચર્ચિત ઘટના પર પોલીસ આંખ આડા કાન કરી રહી છે, શું કટારીયા પરિવારને વધુ કિંમત ચૂકવી પડશે ?

Ahmedabad Samay

જાણો સરકાર તરફથી ક્યા કયા લેવાયેલા નિર્ણયો

Ahmedabad Samay

શહેરમાં અવર – જવર કરવા ઉપર ભારે વાહનો માટે નવી ગાઈડલાઈન જાહેર કરાઇ

Ahmedabad Samay

ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ કોન્ટેસ્ટ 2020 દ્વારા સ્માર્ટ સિટી અમદાવાદ ને બે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા

Ahmedabad Samay

રિક્ષા ડ્રાઇવરોએ ‘રોજી-રોટી બચાવ આંદોલન’ હેઠળ 24મી જુલાઈથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો