June 8, 2026
ગુજરાત

શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફુલસ્કેપ ચોપડા ઉપક્રમ કરવામાં આવ્યું

શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચ દ્વારા સંચાલિત શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ (KVMMP TRUST)રાયખડ, ખમાસા, અમદાવાદ, દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ ફુલસ્કેપ ચોપડા વિતરણ ઉપક્રમને સમાજમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ ઉપક્રમ અંતર્ગત ગુજરાતભરના વિદ્યાર્થીઓ માટે કુલ ૬૦૦ ડઝન ફુલસ્કેપ ચોપડા અનુદાનિત દરે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને માત્ર ₹150 પ્રતિ ડઝન ના દરે ચોપડા આપવામાં આવી રહ્યા છે અને દરેક વિદ્યાર્થીઓને વધુમાં વધુ 2 ડઝન ચોપડા આપવામાં આવી રહ્યા છે.

આ યોજના ધોરણ 6 પાસ અને તેનાથી ઉપરના ધોરણના વિદ્યાર્થીઓ માટે અમલમાં મૂકવામાં આવી છે. ઉપક્રમનો મુખ્ય હેતુ એ છે કે કોઈપણ વિદ્યાર્થીનું શિક્ષણ માત્ર શૈક્ષણિક સાધનોના અભાવે અટકી ન જાય.

સમાજના દાતાશ્રીઓ અને સહયોગીઓના સહકારથી આ સેવા કાર્ય શક્ય બન્યું છે. ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ચોપડા વિતરણ કાર્ય સ્ટોક ઉપલબ્ધ રહેશે ત્યાં સુધી ચાલુ રહેશે.

સમાજના તમામ બાંધવોને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચાડવા તથા આ સેવા કાર્યમાં સહભાગી થવા અપીલ કરવામાં આવે છે.

આ ઉપક્રમને સમાજમાં શિક્ષણ પ્રત્યેની જવાબદારી, એકતા અને સામાજિક સહકારનું સુંદર ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.

Related posts

ધોળકામાં અજાણ્યા યુવકની બળેલી હાલતમાં લાશ મળી

Ahmedabad Samay

ગુજરાત સ્ટેટ રેસલિંગ દ્વારા વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું

Ahmedabad Samay

વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન તથા વાવાઝોડા બાદ શું કરવું અને શું ન કરવું તે અંગેની માર્ગદર્શિકા અનુસરવી

Ahmedabad Samay

કરણી સેના દ્વારા બિકાનેર કરણી માતાના મંદિરે દર્શને લઇજવા આયોજન

Ahmedabad Samay

ગુજરાતનાં ઓપિનિયન પોલ પ્રમાણે કોને કેટલી સીટો મળવાનો દાવો

Ahmedabad Samay

યુ.કે આવતા અને જતા તમામ વિમાની ઉડયનો ઉપર ૭ જાન્યુઆરી સુધી પ્રતિબંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો