March 25, 2026
ગુજરાત

પંચમહાલ – પાવાગઢમાં છોલેલું શ્રીફળ લઈ જવા તેમજ વધેરવા આજથી પ્રતિબંધ

પાવાગઢ મંદિરમાં આજથી છોલેલું શ્રીફળ લઈ જવા તેમજ વધેરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પાવાગઢ માચી ખાતે શ્રીફળ વઘેરવા અલાયજી વ્યવસ્થા કરવામાં આવી છે. પાવાગઢ માચી ખાતે નારીયેળ વધેરવા માટે મંદિર ટ્રસ્ટે મશીન મુક્યું છે. પાવાગઢ મંદિર પરિસરમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ભક્તો મંદિરમાં ફક્ત આખું શ્રીફળ જ લઈ જઈ શકશે. ભક્તો મંદિરની નીચે ઉતરીને જ છોલેલું શ્રીફળ વધેરી શકશે. જો વેપારીઓ દ્વારા છોલેલું શ્રીફળ વેચવામાં આવશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

ચોટીલા મંદિરનો મોહનથાળનો પ્રસાદ બંધ થતા વિવાદ થયો હતો ત્યારે પાવગઢમાં પણ આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ મંદિરના ટ્રસ્ટીઓએ વોટ્સએપથી આ નિર્ણય જાહેર કર્યો હતો. ભક્તો આખું શ્રીફળ માતાજીને ઘરાવીને ઘરે જઈ શકશે તે પ્રકારે ફરમાન કરાયું છે.

ત્યારે ભાવી ભક્તોમાં પણ આ કારણે નારાજગી જોવા મળી શકે છે. આ મામલે શ્રદ્ધાળુઓમાં અને વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. નવા ટ્રસ્ટી મંડળની રચના બાદ લેવાયેલા નિર્ણયલમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે. આ નિર્ણય આજથી અમલી બનશે. અંબાજીમાં પ્રસાદને લઈને વિવાદ સમ્યો છે ત્યારે આ દરમિયાન એક ધાર્મિક સ્થળનો વધુ એક વિવાદાસ્પદ નિર્ણય સામે આવ્યો છે.

Related posts

મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન અને માતાજીની આરાધના કરવા માટે અંબાજી મંદિરમાં પહોંચ્યા

Ahmedabad Samay

રાજપુતાણી ના ત્યાગ અને સમર્પણ ને વંદન,

Ahmedabad Samay

જીબીએસ જેવી ગંભીર બીમારી પર જીત માટે મુકબધીર યુવતીનો અનોખો જંગ, 25 વર્ષીય કાજલને મળ્યું નવજીવન

Ahmedabad Samay

વિરસાવર્કર સ્પોર્ટ સંકુલ ખાતે આઇટી કેર કોમ્પ્યુટર એજ્યુકેશન દ્વારા વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ છાવણી ખાતે તા. ૨૫/૦૭/૨૦૨૫ના રોજ પૂર્વ સૈનિકો માટે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

Ahmedabad Samay

બાયકોટ ચાઈના ને પ્રોત્સાહન આપવા એમ.કે ચશ્માં ઘરની લોભામણી સ્કીમ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો