May 9, 2026
ગુજરાત

પંચમહાલ – પાવાગઢમાં છોલેલું શ્રીફળ લઈ જવા તેમજ વધેરવા આજથી પ્રતિબંધ

પાવાગઢ મંદિરમાં આજથી છોલેલું શ્રીફળ લઈ જવા તેમજ વધેરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પાવાગઢ માચી ખાતે શ્રીફળ વઘેરવા અલાયજી વ્યવસ્થા કરવામાં આવી છે. પાવાગઢ માચી ખાતે નારીયેળ વધેરવા માટે મંદિર ટ્રસ્ટે મશીન મુક્યું છે. પાવાગઢ મંદિર પરિસરમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ભક્તો મંદિરમાં ફક્ત આખું શ્રીફળ જ લઈ જઈ શકશે. ભક્તો મંદિરની નીચે ઉતરીને જ છોલેલું શ્રીફળ વધેરી શકશે. જો વેપારીઓ દ્વારા છોલેલું શ્રીફળ વેચવામાં આવશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

ચોટીલા મંદિરનો મોહનથાળનો પ્રસાદ બંધ થતા વિવાદ થયો હતો ત્યારે પાવગઢમાં પણ આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ મંદિરના ટ્રસ્ટીઓએ વોટ્સએપથી આ નિર્ણય જાહેર કર્યો હતો. ભક્તો આખું શ્રીફળ માતાજીને ઘરાવીને ઘરે જઈ શકશે તે પ્રકારે ફરમાન કરાયું છે.

ત્યારે ભાવી ભક્તોમાં પણ આ કારણે નારાજગી જોવા મળી શકે છે. આ મામલે શ્રદ્ધાળુઓમાં અને વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. નવા ટ્રસ્ટી મંડળની રચના બાદ લેવાયેલા નિર્ણયલમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે. આ નિર્ણય આજથી અમલી બનશે. અંબાજીમાં પ્રસાદને લઈને વિવાદ સમ્યો છે ત્યારે આ દરમિયાન એક ધાર્મિક સ્થળનો વધુ એક વિવાદાસ્પદ નિર્ણય સામે આવ્યો છે.

Related posts

રોડ સાઈડમાં પાર્ક કરેલી કારને પાછળથી પોલીસની 112 જનરક્ષક ગાડીએ જોરદાર ટક્કર મારી, ડ્રાઇવર નશાની હાલતમાં મળ્યો

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા મરાઠી સમાજનું પ્રથમ અને ઐતિહાસિક સ્નેહમિલન કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતા મહિનાને ૨૪મીએ જામનગરની મુલાકાત લેશે

Ahmedabad Samay

સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા નવા હોદેદારો ને નિમણુંક કરાયા

Ahmedabad Samay

જાણો જાણી શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા આ સપ્તાહમાં કઈ રાશિના જાતકોએ પૈસાની બાબતે ધ્યાન રાખવું.

Ahmedabad Samay

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નાં ૭૧ માં જન્મદિવસ નાં અવસરે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો