June 22, 2026
ગુજરાત

ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ તથા ગ્રાહક ક્રાંતિ દ્વારા પેટ્રોલના ભાવ વધારા સામે વીર

વસ્તુઓના ભાવોમાં થયેલા વધારા સામે ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ અને ગ્રાહક ક્રાંતિના નેજા હેઠળ  આશ્રમ રોડ પર પ્લે કાર્ડ અને બેનર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

પેટ્રોલમાં લીટરે એકસાઇઝ ડયૂટીના લેવામાં આવતાં 33.89 રૂપિયા ઘટાડવા માટે દેશના વડાપ્રધાનને એક લાખ ગ્રાહકોની સહીઓ સાથેનું મેમોરેન્ડમ મોકલવાની જાહેરાત કરવામાં આવી હતી.

ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ તથા ગ્રાહક ક્રાંતિના મહિલા પ્રમુખ સુચિત્રા પાલ તથા ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખની આગેવાની હેઠળ   આશ્રમ રોડ પર સરઘસના સ્વરૂપમાં રેલી કાઢી મોંઘવારી સામે સૂત્રોચ્ચાર પોકારીને વાતાવરણ ગજવી મૂકવામાં આવ્યું હતું.

રૂપિયા 30ની કોસ્ટ પ્રાઇઝનું પેટ્રોલ-ડિઝલ ગ્રાહકોને રૂપિયા 100 કે તેથી વધારે ભાવે વેચાણ કરવામાં આવે છે. તે જ રીતે ડિઝલમાં પણ બેફામ એકસાઇઝ ડયૂટી અને સરકારી સેસ અને વેટ વસૂલ કરવામાં આવે છે. સરકારનો આર્થિક આંતકવાદ નાબૂદ કરાવવા માટે રાષ્ટ્રીય ગ્રાહક જાગુત્તિ અભિયાન ચલાવવામાં આવશે. તે જ રીતે રસોઇ ગેસના બાટલાની સબસીડી સરકારે ચુપચાપ બંધ કરી દીધી છે.

એલપીજી ગેસ સિલિન્ડરના ભાવવધારો કરોડો મહિલા ગ્રાહકો માટે આઘાતજનક અને પીડાદાયક છે. ગ્રાહક સુરક્ષાના માધ્યમથી બિનજરૂરી ભાવવધારો, મોંઘવારી, નફાખોરી સામે સાંસદો અને ધારાસભ્યોને આવેદનપત્ર આપી ચેતવણી આપવામાં આવશે અને દેશના વડાપ્રધાનને ભાવવધારો ઘટાડવા માટે એક લાખ લોકોની સહીઓ સાથેનું આવેદનપત્ર પાઠવવામાં આવશે. તેમણે વધુમાં એવી પણ માંગણી કરી હતી કે, પેટ્રોલ, ડિઝલ અને ગેસના ભાવ નક્કી કરવા માટે કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટના જસ્ટિસની આગેવાની હેઠળ ભાવ નિર્ધારણ પંચની રચના કરવી જોઇએ.

New up 01

Related posts

અમદાવાદ: શાહીબાગમાં આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાની રાજપૂત સમાજના યુવકો દ્વારા સફાઈ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

Ahmedabad Samay

ઈન્ડિગો એરલાઇન્સ ૧૦% સ્ટાફને કરશે છુટા

Ahmedabad Samay

અમદાવાદ: વાળીનાથ ચોક પાસે 4 દિવસ પહેલા પડેલા ભૂવાએ તંત્રની પોલ ખોલી, સમારકામ ન થતા વાહનચાલકોને હાલાકી

Ahmedabad Samay

આગામી 28 મે વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, CM ભુપેન્દ્ર પટેલે તંત્રને સતર્ક રહેવા જણાવ્યું

Ahmedabad Samay

કાલે છે અજા એકાદશી,જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા અજા એકાદશીના દિવસે કઇ વાતોનું ધ્યાન રાખવું અને શું થશે લાભ.

Ahmedabad Samay

વ્યાજખોરોથી તંગ આવી નિકોલમાં યુવકે ફિનાઈલની ગોળીઓ ખાધી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો