March 23, 2026
ગુજરાત

નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાના આયોજન ને લઇ આજે લેવાશે નિર્ણય

કોવિડ-૧૯ના ચેપ નિયંત્રણ માટે રાજયના આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્‌યુની મુદ્દત ૨૫ સપ્‍ટેમ્‍બરને શનિવારે પૂર્ણ થાય છે. ૭ ઓક્‍ટોબરથી નવરાત્રિનો આરંભ થાય છે. આ સ્‍થિતિમાં ગુજરાતની નવી સરકાર રાત્રિ કરફ્‌યુના સમયમાં ઘટડા સાથે નવરાત્રિમાં શેરી ગરબાના આયોજન માટે નવી ગાઈડલાઈન સાથે આજે મહત્‍વનો નિર્ણય કરે તેવી શક્‍યતા વ્‍યક્‍ત થઈ રહી છે.

ગુજરાતમાં પહેલાથી જ ૪૦૦ વ્‍યક્‍તિઓની હાજરીમાં ડી.જે.ઓરકેસ્‍ટ્રા સાથે ઉત્‍સવોની ઉજવણી માટે ગૃહ વિભાગે ગાઈડલાઈન જાહેર કરી છે. બીજી તરફ ૪.૯૩ કરોડ નાગરીકોમાંથી ૧.૭૬ કરોડથી વધુને કોરોના સામેના બંને ડોઝ મળ્‍યા છે. જયારે ૪.૦૭ કરોડને એક ડોઝ મળ્‍યો છે. બે મહિનાથી કોવિડ-૧૯ના દૈનિક કેસ ૨૦થી ઓછા આવી રહ્યા છે.
આ સ્‍થિતિમાં આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્‌યુની મુદ્દત રાતે ૧૨ વાગ્‍યાને બદલે ૧ વાગ્‍યાથી સવારે છ કલાક સુધીની રાખવામા આવે તેવી માંગણી સિનેમા,ᅠહોટલ- રેસ્‍ટોરન્‍ટ જેવા વેપાર- ઉદ્યોગોમાંથી શરૂ થઈ છે.
નવરાત્રિ- દિવાળીના તહેવારો નજીક છે ત્‍યારે અર્થતંત્રને બળ મળે તે ઉદ્દેશ્‍યથી ગુજરાત સરકાર નવરાત્રિમાં શેરી ગરબાના આયોજન માટે કોવિડ-૧૯ નિયંત્રણ માટે ગાઈડલાઈન જાહેર કરી શકે છે. ગૃહ વિભાગના ટોચના અધિકારીએ કહ્યુ કે,ᅠઆઠ શહેરોમાં રાત્રિ કરફ્‌યુની મુદ્દત શનિવારે પૂર્ણ થતી હોવાથી શુક્રવારે મળનારી બેઠકમાં નિર્ણય થશે.

Related posts

હવામાન વિભાગે રાજ્‍યમાં ગરમીની આગાહી કરી છે ત્‍યારે હવે ફરી એકવાર વરસાદનું આગમન થયું

Ahmedabad Samay

આ મંગળવારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જાહેર જનતા માટે ફરી શરૂ થશે

Ahmedabad Samay

કોંગ્રેસે વડાપ્રધાન મોદીનું એક પોસ્ટર શેર કર્યું છે, જેમાં તેમના માથા અને હાથ-પગ ગાયબ દર્શાવવામાં આવ્યા

Ahmedabad Samay

ગુજરાતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થતા કાંકરિયા પ્રાણી સંગ્રાલાય

Ahmedabad Samay

વેહચેલો માલ પરત ન લેવો એ ગુન્હો, વ્હેચેલો માલ દુકાનદાર પરત લેવાનો ઈનકાર કરે કરો ફરિયાદ

Ahmedabad Samay

૫.૫ તિવ્રતાના આંચકાનો ભૂકંપ હોવાના કારણે આફ્ટર શોક આવવાની શક્યતા નહિવત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો